Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 115
________________ (1) તત્ત્વનો પ્રતિભાસ : શેય, હેય, ઉપાદેય-ત્રણેય પ્રકારના તત્ત્વનો તો પ્રતિભાસ એક જાતનો જ. એનું જ્ઞાન માત્ર હોય, પરંતુ આત્મા પર તેની કોઈ યોગ્ય અસર નહિ; ઊલટી ઊંધી અસર હોય. દા.ત. જીવ, અજીવ જાણવા છતાં મન કબૂલ ન કરતું હોય કે “આ જીવ-અજીવની જે વ્યવસ્થા સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવે બતાવી છે તે તેવી જ છે, બરાબર છે.” ઊલટું મનને લાગતું હોય કે આમ તે હોતું હશે ? એમ, પાપ-આશ્રવ-બંધ તત્ત્વનું જ્ઞાન માત્ર થયું, પણ રૂચિ નહિ, શ્રદ્ધા નહિ, અને યોગ્ય અસર નહિ. એમ નહિ કે આ પાપ વગેરે તરફ ધૃણા થાય, એના તરફથી કોઈ ભય લાગે. એમાં અકળામણ ન થાય, હૃદય કંપે નહિ, ચિંતા ન રહે કે “અરે ! આ પાપ વગેરે સેવ્યે જાઉં છું પણ એમાં મારા આત્માનું શું થશે ? આવા ઊંચા ભાવમાં આવું કાર્ય કરવાનું ?' વગેરે વગેરે કોઈ લાગણી, કોઈ અસર, કોઈ ચોટ ન લાગે. બસ કોરેકોરું જાણી લીધું કે “જૈન ધર્મમાં આને આને પાપ કહ્યાં, આટલા આશ્રવ, આ આ બંધ.” એવી રીતે પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષનું કોરું જ્ઞાન માત્ર હોય, એના પર યથાર્થપણાની શ્રદ્ધા નહિ. “પુણ્ય એ જિનેન્દ્રદેવે વર્ણવ્યા મુજબ છે, ધર્મસામગ્રી તરીકે ઉપયોગી છે; જિનવચનાનુસારી સંવર-નિર્જરા એ જ આત્મહિતકારી પ્રવૃત્તિ છે, મોક્ષ સર્વજ્ઞ ભગવંતે કહ્યો તે જ પ્રમાણે છે; અને એ જ મારું અંતિમ લક્ષ્ય છે. અહો આ બધું ક્યારે મળે !" સંવર વગેરે પ્રત્યે આવી કોઈ જ લાગણી નહિ, એના પ્રત્યે કોઈ જ હરખનું, એમાં જ આશ્વાસનનું, નિશ્ચિત્તિતાનું વલણ નહિ ! ઊલટું એનાથી બીએ, “આ સંવર, નિર્જરાથી તો આપણે દુઃખી થઈ જઈએ ! આનાથી તે સુખ મળતું હશે !..." આવો આવો ભ્રમ રહ્યા કરે. આ સ્થિતિમાં તત્ત્વો સાથે કદાચ બોધ થવા દ્વારા સંબંધ થયો, પણ તે માત્ર પ્રતિભાસરૂપ સંબંધ કહેવાય. (2) તત્ત્વની પરિણતિ : ત્યારે તત્ત્વ સાથે પરિણતિરૂપ સંબંધ થવામાં જ્ઞાન ઉપરાંત તત્ત્વની ઉપાધિ થી સમાધિ તરફ 107

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156