Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 579
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 હવે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર બોલ્યા : હે મહામુનિ શાલિભદ્ર ! આ ઘરડી મહિયારી; જેણે તને દહીં વહોરાવ્યું, તે તારી પૂર્વજન્મની માતા છે. || ૨૦૬ || શાલિગ્રામમાં રહેનારી પહેલા એ નામથી જ ધન્યા હતી. હવે આપને દહીં વહોરાવવાથી સાચા અર્થમાં “ધન્યા' બની છે. || ૨૦૭ / ભ. શ્રી મહાવીર પ્રભુ પાસેથી પૂર્વભવનું સર્વ સ્વરૂપ સાંભળીને પ્રબળતર વૈરાગ્યથી શોભતા શ્રી શાલિભદ્રા મુનિએ શરીરને કહ્યું : હે શરીર ! હવે હું તને ભોજનમાં જોડું છું અને મનને શરીરથી બહાર અંતરીક્ષમાં રહેલું જોઇને તે પુણ્યવાન મહાત્માએ આ (ખાવું એ) શરીરનો સ્વભાવ છે એમ માની પારણું કર્યું. // ૨૦૮ //. શ્રી શાલિભદ્રની વિશાળ સમતાની હું શી રીતે સ્તુતિ કરી શકું ? સામાન્ય લોકોની સમજણથી જાણે બહાર રહેલા પોતાની માતા વડે પણ પેદા કરાયેલા આ વજ જેવા તીક્ષ્ણ અપમાનો વડે પણ સમતા ખંડિત થઇ નહિ જુઓ તો ખરા ! આકાશમાંથી પડતા વજથી ક્ષીર સાગર પણ સળગી ઊઠે છે અને હિમાલય પર્વત પણ પીગળી ઊઠે છે. (પરંતુ આ શાલિભદ્ર નહિ.) તો સમુદ્ર કે પર્વતની સાથે તેમની સમતા તુલ્યતા શી રીતે થઇ શકે ? ૨૦૯ | અપમાનના વજ પ્રહારોથી સામાન્ય મુનિઓ પોતાનો સમતા-પક્ષ ખોઇ બેસે છે. પરંતુ સમતાના સુધા-સમુદ્રમાં સૂઇ રહેનારા આ શાલિભદ્ર મુનિને મૈનાક પર્વતની જેમ એ પ્રહારો વાગ્યા નહિ. ગૌણાર્થ : બીજા પર્વતો વજના પ્રહારોથી પોતાની પાંખ ખોઇ બેસે છે, પણ સાગરમાં રહેનારા મૈનાક પર્વતને તેની કોઇ અસર થતી નથી. || ૨૧૦ // 8A%A88888A YAUAAAAAAAA | ૬૬૬

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624