Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 596
________________ પ્રકમ-૭ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 તો હે નાથ ! અમે છેલ્લી મોટી માંગણી મૂકીએ છીએ : આપનું વચનામૃત હતકાર (હુંકારો ?) આપો. (રાંધેલું અનાજ, મીઠાઇ, ફળ વગેરે જયારે પહેલી વાર બ્રાહ્મણ વગેરેને અપાય તે ‘હતકાર' કહેવાય છે.) || ૧૧૧ //. આ પ્રમાણે પ્રલાપ કરતી – કરગરતી પુત્રવધુઓને જોઇ વહુઓના દુ:ખથી દુઃખી થયેલી ભદ્રા મૂચ્છિત થઇ ગઇ અને મૂચ્છ દૂર થઇ ગયા પછી જોરશોરથી રડવા લાગી. || ૧૧૨ || શ્રેણિકનું આશ્વાસન : વિષાદના વિષથી મૂચ્છિત થયેલી તે ભદ્રાને શ્રીશ્રેણિક મહારાજાએ સ્કુરાયમાન વચનામૃતના છંટકાવથી શાંત કરી. / ૧૧૩ // હે ભદ્રા ! તું વાત્સલ્યાદિ ગુણોથી ગણનાપાત્ર છે. માની પુરુષોને માનનીય છે. વંદનીય લોકોને વંદન કરવા લાયક છે અને મહાત્માઓને પણ પૂજનીય છે. || ૧૧૪ || હે ભદ્રા ! તું આનંદ પામ. તું તો નંદન-વનની ધરતી છે, જયાં દેવોથી પણ સેવનીય કલ્પવૃક્ષ સમા આ પુત્રે અવતાર લીધો છે. જો તો ખરી. || ૧૧૫ || હે મંગળમયી ! તારી મંગળમયતાનો નિર્ણય કોણ કરી શકે ? જેનાથી પેદા થયેલો પુરુષોમાં મુગટ સમો શાલિભદ્ર પુત્ર; જેનો સમાગમ રાજાએ પણ ઇચ્છેલો હતો. ગૌણાર્થ: હે સુવર્ણમયી ધરતી ! તારી સોનાની વાનગીઓનો નિર્ણય કોણ કરી શકે ? જેનાથી પેદા થયેલો મુગટ; જેને રાજાઓ પણ હસ્તક પર ધારણ કરવા ઇચ્છે છે. // ૧૧૬ //. ARRARAUAYA8A82828282828282888 II, o il

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624