Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 617
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 વાત હતી, મારા નામ પરથી જ ગામનું નામ પડવું જોઇએ. જગતનું આજ મહાન દુઃખ છે ને ? આ જગતના બધા જ માણસો મનમાં તો પોતાને જ “મહાન” માનતા હોય છે. એથી જ આ જગત આટલા બધા સંઘર્ષોથી ઘેરાઇ ગયું છે. આમ ઘણા દિવસો સુધી ચારે જણ વચ્ચે આ તકરાર ચાલ્યા કરી. આખરે એક દિવસ ત્યાં કોઇ ડાહ્યો માણસ આવી પહોંચ્યો. તેણે બધી વાત સાંભળીને કહ્યું, ‘બંધુઓ ! તમારે આ તકરાર ચાલુ રાખવી છે કે તેનો ફેંસલો લાવવો છે?' ‘તકરાર ચાલુ તો કેમ રખાય ? પણ તેનો ફેંસલો સર્વમાન્ય જોઇએ.’ ‘હા, હું સર્વમાન્ય ફેંસલો આપું છું. જેથી કોઇનેય મન-દુ:ખ નહિ રહે. સાંભળો. હું એવું નામ આપું છું. જેમાં તમારા ચારેયના નામો આવી જશે. ગામનું નામ રાખો : “મનફરા'. બોલો, આમાં ચારેયના નામોનો પહેલોપહેલો અક્ષર આવી ગયો કે નહિ ? મસ્તરામનો મ, નરભેરામનો ન, ફરતારામનો હું અને રાજારામનો રા... બની ગયું નામ મનફરા. અને ચારેય જણ આ ફેંસલો સાંભળી ખુશ-ખુશ થઇ ગયા. એમણે આ નિર્ણય સહર્ષ વધાવી લીધો. સમાધાન કરવાની આ આગવી રીત મનફરામાં સહજ રીતે વણાઇ જવી જોઇએ. માણસ છે એ ઝગડી પણ પડે. પણ ઝગડ્યા પછી સમાધાન કરી લેવું એ મોટી વાત છે. દરેક વાતને થાળે પાડતાં શીખો. પોતાનો જ કક્કો ખરો ન કરો. બીજાનું પણ સ્વમાન સચવાય એ રીતે ઊકેલ લાવો. તો જીવન ખરેખર નંદન-વન બની રહેશે. 82828282828282828282828282828282888 II,૨૬

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624