Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 218
________________ - તે સત્ય દેવ, ગુરૂ અને ધર્મ ઉપરની શ્રદ્ધાવડે સમકિત પ્રાપ્ત થાય છે તે પાંચ પ્રકારનું છે–વેદક, ક્ષાયિક 2, એપશસિક 3, રેચક 4 અને મિશ્ર એટલે ક્ષાયોપથમિક 5 એ સમકિત શેષ જીવોને બહેળે ભાગે હોય છે. 487. પાંચ પ્રકારના સમક્તિનું સ્વરૂપ 1 વેદક-તે ક્ષપશમ સમકિતનો છેલ્લો સમકિત મેહની દવાને સમય-જેને બીજે સમયે ક્ષાયિક સમકિત થાય છે તે. તા 2 ક્ષાયિક-તે દન સપ્તકને જેણે સર્વથા ક્ષય કરેલ છે તેને થાય છે તે–આ સમકિત પ્રાપ્ત થયા પછી જતું નથી, 3 પશમિતે અનાદિ મિથ્યાત્વીને ત્રણ કરણ કરવાવડે અંતર કરણને પ્રથમ સમયે મિથ્યાત્વના પુગળે વિપાથી કે પ્રદેશથી દવાના ન હોય ત્યારે થાય છે તે આની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે, તે ક્ષાયિક સમકિતની વાનકી જેવું છે. ઉપશમ શ્રેણિના પ્રારંભમાં પણ આ સમકિત થાય છે, 4 રેચક કહ્યું છે તે સાસ્વાદન સંભવે છે, કારણ કે રેચક નામને ભેદ કારક, રેચક ને દીપક-એમાં આવે છે, પણ તે રોચક તો ક્ષયોપશમ કે ક્ષાયિકારૂપ સંભવે છે. સાસ્વાદન ભાવ ઉપશમ સમકિતથી પડતે જીવ ઉત્કૃષ્ટ છ આવળી જેટલા વખત સુધી પામે છે અને પછી મિથ્યાત્વે જાય છે, 5 ક્ષાપશમિક–પ્રાયે ઘણા સમકિતી ને આ સમકિત જ હોય છે. તે સમકિતમાં સમકિત મેહનીનો ઉદય હોય છે. મિથ્યાત્વ મેહનીના સમયે સમયે ક્ષય કરે છે અને ઉદય આવે તેને ઉપશમ કરે છે. એવી રીતે અહીં મિશ્રભાવ હોવાથી તે મિશ્ર પણ કહેવાય છે, પરંતુ આ મિશ્રમેહનીના ઉદયવાળું મિશ્ર સમજવું નહીં. આ સમકિતની સ્થિતિ 66 સાગરેપમ ઝાઝેરી હેય છે, ત્યારપછી તે જીવ ક્ષાયિક સમકિત પામે છે અથવા મિથ્યા જાય છે,

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250