Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 235
________________ (2009) આવી ચડ્યા તેને દ્વારપાળે દાનને નિષેધ કર્યો. ત્યારે તે સાધુએ કોપથી કહ્યું કે-“આ માસિકમાં મને ન મળ્યું તે બીજા માસિક મળશે.” એમ કહી તે સાધુ અન્યત્ર ગયા. દૈવયોગે તે જ બ્રાહ્મણના ઘરમાં બીજા મનુષ્યનું મરણ થયું. તેના માસિકને દિવસે તે જ સાધુ માસક્ષપણને પારણે આવ્યા. તે વખતે પણ દ્વારપાળે તેમને નિષેધ કર્યો, ત્યારે ફરીથી કે ધવડે પ્રથમની જેમ કહીને તે સાધુ અન્યત્ર ગયા, દૈવયોગે તેના જ ઘરમાં ત્રીજા મનુગનું મરણ થયું. તેના માસિકને દિવસે તે જ સાધુ આવ્યા તે વખતે પણ દ્વારપાળે નિષેધ કર્યો, ત્યારે તે સાધુ ફરીથી પણ કેધથી તે જ પ્રમાણે બોલ્યા; એટલે દ્વારપાળે વિચાર્યું કે-“આ મુનિના ધયુક્ત વચનથી આ ઘરધણીના મનુષ્યો મરે છે.” એમ વિચારી તેણે ઘરધણુને સર્વવૃતાંત કહ્યો. તે સાંભળી તે ઘરધણીએ એકદમ સાધુ પાસે આવી તેમને ખમાવી યથેચ્છ ઘેબર વિગેરે આહાર વહેરાવ્યો. આ કેપિંડ ઉપર દષ્ટાંત જાણવું, 2 ગિરિપુષ્પિત નગરમાં સિંહ નામના સૂરિ પરિવાર સહિત રહ્યા હતા. તેવામાં એકદા તે નગરમાં સેવાતિકા (સેવ) ખાવાનું પર્વ આવ્યું. તે દિવસે સૂત્રરસી થઈ રહ્યા પછી સાધુના સમુદાયમાંથી એક સાધુએ કહ્યું કે " આજે સૌ સાધુઓને સંપૂર્ણ થઈ રહે તેટલી ઘી ગોળ સહિત સેવતિકા વહેરી લાવે તેવો કઈ સાધુ છે? તે સાંભળી એક સાધુએ ગર્વથી કહ્યું કે હું સર્વને થાય તેટલી લાવી આપીશ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે સાધુ ફરતા ફરતા કે કૈટુંબિકને ઘેર ગયા. ત્યાં તેણે ઘણી સેવતિકા ઘી ગોળ સહિત જોઇને કૈટુંબિકની સ્ત્રી પાસે તેની યાચના કરી, પણ તે સુલોચના નામની સ્ત્રીએ તેને આપવાનો નિષેધ કર્યો ત્યારે અમર્ષથી સાધુએ કહ્યું કે હું આ ઘી ગોળ સહિત સેવાતિકા અવશ્ય ગ્રહણ કરીશ.” એમ પ્રતિજ્ઞા કરી, સુચનાએ પણ અમર્ષથી કહ્યું કે- જે તને આમાંથી કોઈ પણ મળે તો મારું નાક તેં કાયું એમ હું સમજીશ. " પછી તે સાધુ જ્યાં સભામાંમિત્રની સાથે સુલોચનાનો પતિ વિષ્ણુદત્ત બેઠે હતો ત્યાં કેઈના કહેવાથી ગયા અને વિષ્ણુદત્તને કહ્યું કે જો તું શ્વેતાંગુલિક 1, બાયક

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250