________________
પત્રક-૫૪૮
૯૧ પાપબંધ નથી. અને એમાં તો હિંસા કરે ત્યાં સુધી પુણ્યબંધ છે. ન સમજાય એવી કેટલીક વાતો છે. પણ કોઈ જિનમંદિર તોડતા હોય, કોઈ મુનિરાજની કરતા હોય, આ જંગલમાં તો મુનિરાજ હોય છે. સિંહ હોય, મુનિને ખાવા ધસમસતો આવતો હોય, સિંહ છે, વાઘ છે, ચિત્તો છે. સમ્યગ્દષ્ટિ રાજા ઊભો હોય, તલવાર કાઢે. એને ખાવાન
મુમુક્ષુ-તલવાર ન કાઢે તો એમિથ્યાષ્ટિછે?
પૂજ્ય ભાઈશ્રી – હા, તો મિથ્યાદૃષ્ટિ છે, તો એ મિથ્યાષ્ટિ છે. ત્યાં પછી એ વીતરાગતાની વાત કરે કે આપણે તો જ્ઞાતાદૃષ્ટા થઈ જાવ. હાલ... હાલતને શરીરનો રાગ છે... મુનિ ન કરે. સમ્યગ્દષ્ટિ રાજા હોય, મુનિ હોય તો ન કરે. કેમ કે એને પોતાના શરીરનો રાગ નથી એટલે. એમાં સિંહની હિંસા થઈ જાય. સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણી મરી જાય. પાપ લાગે કે નહિ? ન લાગે. પુણ્ય થાય. પુષ્યબંધ પડે, પાપબંધ ન પડે. એવું છે.
મુમુક્ષુ – સાથેના બીજા મુનિ બચાવવા જાય તો મિથ્યાષ્ટિછે?
પૂજ્ય ભાઈશ્રી: – હા. એ તો ખલાસ. એ પાછી ભૂમિકા બહારની વાત થઈ ગઈ. એ તો કહ્યું ને મિથ્યાદૃષ્ટિ છે. આની અંદર બોલશે ‘ગુરુદેવનું વચનામૃત છે. ૭૨૩ વચનામૃત.
ધર્મી જીવ વાણીનો યોગ,... પોતાને હોય. સમજાવી શકે એવો પુણ્યનો ઉદય હોયતો, વાદવિવાદકરી અસત્યનું ઉત્થાપન તથા સતનું સ્થાપન કરે. મુંગો ન બેસી રહે. ન ચાલે. વીતરાગમાર્ગમાં આવું ન ચાલે. ચોખ્ખું કહી દે. પરંતુ તે ન હોય... એટલે પોતાના પુણ્ય ન હોય તો જ્ઞાની હોય કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય અંતરમાં અસત્યનો નકારનિષેધતલ્લાક આવે જ.ત્રણ શબ્દ વાપર્યા છે. એક ઉદ્દે શબ્દ આવ્યો છે-તલ્લાક. એનો નકાર આવે, એનો નિષેધ આવે, એનો તલ્લાક આવે. તલ્લાક આવે એટલે સંબંધ છોડી દે. આ સંબંધ ન જોઈએ.
ત્યાં શાંતિ જાળવી રાખનાર, મિથ્યા મધ્યસ્થભાવ રાખનાર મિથ્યાદૃષ્ટિ છે.’ આપણે કોઈ ઝઘડામાં પડવું નહિ. એ વાદ-વિવાદ કર્યા કરે, આપણે કાંઈ આમાં પડવું નહિ. એમ નહિ.સિદ્ધાંત કોઈ ઉત્થાપતો હોય,સિદ્ધાંતને ઉથાપાય નહિ. સિદ્ધાંત તૂટે તો શાસન તૂટી જાય. “સમ્યગ્દષ્ટિ ત્યાં શીતળ થઈને બેસી રહે નહિ...'ઠંડો થઈને બેસી ન રહે. કે જોયા કરો આપણે તમાશો. જેમ કે પોતાની માતા ઉપર આળ આવે તો સુપુત્ર શું શાંતિથી તે સાંભળી રહે એ ન સાંભળી શકે. એનું લોહી ગરમ થયા વિના રહે નહિ.