________________
પત્રાંક-પપ૪
૧૫૭
રાખવા યોગ્ય છે;દ્રવ્યવ્યથાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે.
અમારું કલ્પિત માહાસ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય તો તેમ કરવામાં અમારી ઇચ્છા છે. એ જવિનંતી.
પ્રણામ.
આ દિવસોમાં સોભાગભાઈ “અંજાર-કચ્છમાં ગયેલા છે. ત્યાં આ પત્ર લખ્યો
શ્રી અંજારગ્રામે સ્થિત પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે શ્રી મોહમયી ભૂમિથી લિ. - આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. એમનું નામ.... કાંઈ લખ્યું છે એ બધી જગ્યાએ ખાલી જગ્યા રાખી છે)...મૂળ પત્રો જોવામાં આવશે તો ખ્યાલ આવશે કે શું કારણ છે. વિશેષ તમારું પત્ર મળ્યું છે. ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે તે આપને લખવું ઘટારત નહોતું.” આ “ચત્રભુજ બેચર’ એમના બનેવી છે ને ? તો એમનો કોઈ પ્રસંગ હશે, વ્યાવહારિક પ્રસંગ હશે. અને “શ્રીમદ્જી' કાંઈક એ વિષયની અંદર ઉદાસ રહ્યા હશે. આપે કાંઈક આમ કરવું જોઈતું હતું, નહિતર લોકોને કહેવાનું રહી જશો કે આપે આમ ન કર્યું. આપે આમ ન કર્યું એમ કરીને. સમય ચાલ્યો જશે અને વાત કહેવાની રહી જશે, એવું આપે જે લખ્યું એ તમારે લખવું જોઈતું નહોતું, એમ કહે છે.
અમારાથી જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી,...” મારાથી જે બનતું હોય એ કરવામાં મને કોઈ વાંધો નથી. પણ તે પરમાર્થથી અવિરોધી હોયતો થઈ શકે છે પરમાર્થમાં મને, આત્માને નુકસાન થાય એવી વાત હોય તો એ મારાથી બની શકતી નથી. પછી ગમે તે હોય. આ એમના બનેવી છે-ચિત્રભુજ બેચર'. તો કહે છે, તમારા બનેવી થાય એટલે કાંઈક તમારી ફરજ આ બાબતમાં હોવી જોઈએ એવું કાંઈક લખ્યું હશે. તો કહે છે, અમારી મર્યાદા એટલી છે કે અમારા આત્માને જાળવીને અમે જે કરીએ છીએ તે કરીએ છીએ. બાકી અમારાથી બની શકતું નથી. એટલે એ તો થઈ શકે છે, નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કહેણી રહેશે, એવો આ ચત્રભુજ સંબંધીનો પ્રસંગ નથી; પણ તેવો પ્રસંગ હોય તોપણ... હવે શું કહે છે? અમને એટલી ગંભીરતા નથી લાગતી