________________
૧૭૭.
પત્રાંક-પપ૮
પૂજ્ય ભાઈશ્રી:- જાવું છે એમાં તો આ મથામણ ચાલે છે. મહા મહિનામાં ઘરે સગા બહેનના લગ્ન છે. પોતાને નીકળવાનું છે. તો પણ કોઈને રસ્તામાં આવતા જતાં મળવું નથી. ત્યાં પણ કોઈને મળવું નહિ, એવું અંદરમાં મંથન ચાલે છે. નીકળ્યા જ નથી. પછી ગયા જ નથી. બધાને ખોટું લાગ્યું છે, તાર-ટપાલ બહુ આવ્યા છે. બે-ત્રણ તાર આવ્યા, બે-ત્રણ ટપાલ આવી. બધી વાત સાચી પણ આત્માને પ્રતિબંધ થાય એવું હતું એટલે આત્મશ્રીને મુખ્ય કરીને તમને બધાને ગૌણ કરી નાખ્યા છે એ માટે હું તમારી માફી માગી લઉં છું. જાવ.
મુમુક્ષુ-તારને ટપાલને બધું... પૂજ્ય ભાઈશ્રી:-પાછળ જ તપત્ર) છે. મુમુક્ષુ-૫૬૭, ૪૫૦પાને.
પૂજ્ય ભાઈશ્રી:- હા. બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યા છે. કારણ કે માહ સુદે નીકળવાનું લખે છે. ફાગણ સુદ ૧૫, પાછો “મુંબઈથી જવાબ લખે છે. કે તમારા બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યા છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, આવવાનું કે પત્ર લખવાનું... પછી જવાબ પણ નહોતા દેતા. જે તાર, ટપાલ આવે એનો જવાબ દેવાનો બંધ કરી દીધો હતો. તે માટે અત્યંત દિનપણે ક્ષમા ઈચ્છું છું. માફી માગી લીધી.
... તમારા કારણે નહિ. મારા કારણથી મને વિક્ષેપ થાય છે. જે વિક્ષેપ પણ શમાવવો ઘટે.... સમ્યક પ્રકારે, એવો “જ્ઞાનીએ માર્ગ દીઠો છે. કેવી વાત લખી છે. એવી દશા છે એમની.
મુમુક્ષુ - આ બાજુ મુમુક્ષુ ઇંતજાર કરતા હોય, “કૃપાળુદેવને ઘરે પ્રસંગ છે તો આ બાજુથી નીકળશે તો દર્શન થશે. આ કહે છે, મારે પરિચય કરવો નથી.
પૂજ્ય ભાઈશ્રી – બધાને વાયદા આપ્યા છે પણ કોઈનો વાયદો પાળ્યો નથી. સોગાનીજીને એવું હતું. એ પત્રમાં લખતા. હું આવવાનો છું. હું આવવાનો છું. હું આવવાનો છું. પછી કોઈએ એમ લખ્યું કે, ભાઈ! વાયદા તો ઘણા કરો છો પણ આવતા નથી. તો કહે છે, વાત તો સાચી છે પણ નિશ્ચય “નિહાલભાઈ' તો કોઈનો વાયદો-ફાયદો કરતા નથી. એમની એવી સામાન્ય બુદ્ધિમાં ન સમજાય એવી જ્ઞાનીઓની સ્થિતિ છે.
મુમુક્ષુ – મુમુક્ષુની બાજુથી વિચારીએ તો મુમુક્ષુ પણ કેટલો ખ્યાલ રાખતા કે કૃપાળુદેવ' આ બાજુ આવવાના છે. કદાચ એ સંપર્ક કરવાની કોશીષ કરે, પત્ર લખે કે અમને દર્શન આપો.