Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ * * * * * વખતે ધર્મમાં કાંઈ સમજે નહિ, પણ સદાચાર અને શીલ તો એમનાં. પાટણની ગાદી પર એ વખતે મહારાજા જયસિંહ રાજ કરે. લોકો એમને સિદ્ધરાજ કહેતા. ધાર્યું સિદ્ધ કરે તેવા. ભારે પ્રતાપી. દેશના દેશ જીતીને એમણે ઘેર કરેલા. એમણે બધું જીત્યું, પણ એક નસીબ એમનાથી ન જિતાયું. મોટી ઉંમર થઈ તોય પુત્ર ન થયો. જોશી, વૈદ ને જતિ જેટલા મળ્યા તેટલાને તેડાવ્યા. યજ્ઞ, યાગ ને યાત્રાઓ જેટલી કહી એટલી કરી, પણ ઘેર પારણું ન બંધાયું તે ન બંધાયું. - એક વાર એક પ્રખ્યાત જોશી દરબારમાં આવ્યા. રાજાએ કહ્યું કે મારી પછી પાટણની ગાદીએ કોણ આવશે, એ કહો.” જોશીએ કહ્યું કે હે રાજા, તારા પછી કુમારપાળ ગાદીએ આવશે. એ પણ ચક્રવર્તી થશે.” બસ, આ વાત રાજા જયસિંહ સિદ્ધરાજને ન રુચિ. અરે, કુમારપાળનાં દાદીમાનું કુળ હલકું હતું. એ મને ન ખપે. પાટણની ગાદી એને ન મળે. જોશી કહે : “મહારાજ, આ તો ગ્રહની વાતો છે. એમાં રાજા તો શું, દેવતા પણ મીનમેખનો ફેર ન કરી શકે.' રાજા જયસિંહે વિચાર કર્યો, કે જોશીની વાત જૂઠી પાડું. ચાહડ નામના એક પરાક્રમી ક્ષત્રિય બાળકને દત્તક લીધો. પોતાની પાછળ ગાદી એને મળે એમ નક્કી ઠર્યું. બીજી તરફ કુમારપાળને મારવા મારા મોકલ્યા. જેનું નસીબ જાગતું હોય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36