Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 19
________________ વસ્તુપાળ – તેજપાળ રાજાએ આજ્ઞા આપી એટલે સોમેશ્વર આ બંને ભાઈઓને રાજસભામાં લઈ ગયા. ત્યાં રાજા આગળ સુંદર ભેટ મૂકીને બંને ભાઈઓએ પ્રણામ કર્યા. રાજા વીરધવલે જેવું જાણ્યું હતું તેવું જ જોયું. એટલે તે બોલ્યા : ‘તમારી મુલાકાતથી હું બહુ ખુશ થયો છું. રાજની ચાકરીમાં રહો. આ રાજ્યનો સઘળો કારભાર તમને સોંપું છું.' બંને ભાઈઓ આ સાંભળી આનંદ પામ્યા. પછી વસ્તુપાળે રાજાને કહ્યું : “મહારાજ ! અમારું અહોભાગ્ય કે આપની અમારા પર આવી કૃપા થઈ. પણ અમારે એક વિનંતી કરવાની છે તે આપ ધ્યાન દઈને સાંભળો. આપ અમને પણ વચન આપવાં પડશે. એક તો જ્યાં અન્યાય હશે ત્યાં અમારાથી ડગલું ભરાશે નહિ. બીજું – ગમે તેવા રાજકાજમાં પણ દેવગુરુની સેવા ચુકાશે નહિ. - ત્રીજું – રાજસેવા કરતાં આપની પાસે કોઈ ચાડીચુગલી કરે ને અમારે જવાનો વખત આવે, તો પણ અમારી પાસે જે ત્રણ લાખ ટંકા ધન છે તે અમારી પાસે રહેવા દેવું પડશે. જો આપ આ બાબતોનું વચન રાજગોરની સાક્ષીએ આપો તો અમે આપની સેવા કરવા તૈયાર છીએ. નહીંતર આપનું કલ્યાણ થાઓ.’. રાજાએ તે પ્રમાણે વચન આપ્યું. વસ્તુપાળને ધોળકા તથા ખંભાતના મહામંત્રી બનાવ્યા. તેજપાળને રાજના સેનાપતિ નીમ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36