Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 34
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ .....ت . . . એમ કહી ઈંટ – પથરા ફેંક, લાકડીના માર મારે છે, પણ દૃઢપ્રહારી શાંત ચિત્તે બધું સહન કરે. એમ કરતાં ગળા સુધી ઈંટ – પથ્થરનો ઢગલો થયો. શ્વાસ પણ રૂંધાવા લાગ્યો. એટલે દૃઢપ્રહારીએ ધ્યાન પૂરું કર્યું. બીજા દરવાજે જઈને ધ્યાન ધર્યું. એ પ્રમાણે છ માસ સુધી સહન કર્યું, પણ પોતાના નિશ્ચયથી જરા પણ ડગ્યા તેમના હૃદયમાં ક્ષમા વધતી જ ગઈ. પ્રેમ ઊભરાતો ગયો અને તે છેલ્લી હદે પહોંચતાં પૂરા પવિત્ર થયા. લોકો સમજ્યા કે દૃઢપ્રહારી શયતાન નથી, પણ સાચા સંત છે, એટલે તેમનાં ચરણમાં પડ્યા. તેમના બધા દોષો વીસરી ગયા. - હવે મહાત્મા દૃઢપ્રહારી એક ઠેકાણેથી બીજા ઠેકાણે ફરવા લાગ્યા. તેમણે ઘણા લોકોને ઉપદેશ દીધો. ઘણાં જીવન સુધાર્યા. અને છેવટે નિર્વાણ પામ્યા. કર્મમાં શૂરા તે ધર્મમાં શૂરા આનું નામ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36