Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ મહારાજા કુમારપાળ લાગ્યો. એક સિક્કો લઈને અંદર ગયો. કુમારપાળે ઊઠીને બાકીના ૨૦ સિક્કા લઈ લીધા. એને અત્યારે એક રૂપિયો એક સોનામહોરથી પણ વધુ કીમતી હતો. લઈને એક ઝાડ પાછળ સંતાઈ ગયો. થોડી વારમાં ઉંદર બહાર આવ્યો. એણે પોતાના સિક્કા ન જોયા. એ માથાં ફોડીને ત્યાં મરી ગયો. કુમારપાળને ખૂબ જ અફસોસ થયો, પણ હવે શું થાય ? એ ત્યાંથી આગળ ચાલ્યો. થાકથી શરીર ભાંગી પડતું હતું. ભૂખથી ચક્કર આવતાં હતાં. ત્રણ દહાડાના કડાકા થયા હતા. આ વખતે એક શ્રીમંત સ્ત્રી પિયર જતી હતી. એણે આ જુવાનને જોયો, ભૂખથી બેસી ગયેલું એનું પેટ જોયું. તેણે પોતાની પાસેનો ચોખા-દહીંનો કરંબો તેને ખાવા આપ્યો. આમ માર્યો માર્યો ફરતો કુમારપાળ ખંભાત આવ્યો. ખંભાતનો અધિકાર મહામંત્રી ઉદયનના હાથમાં હતો. એ વખતે ત્યાં આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ બિરાજતા હતા. એ કળિયુગના સર્વજ્ઞ કહેવાતા. કુમારપાળની ઇચ્છા મંત્રીરાજ ઉદયન પાસેથી કાંઈક મદદ મેળવવાની હતી. ઉદયન મંત્રી ઉપાશ્રયમાં હતા. કુમારપાળ ત્યાં પહોંચ્યો. પહેલાં તો મંત્રીએ તેમને કહ્યું કે રાજની વિરુદ્ધ મારાથી કાંઈ ન થઈ શકે. તેમ જેમ બને તેમ રાજની હદબહાર ચાલ્યા જાઓ. આ વખતે ગુરુ હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું: “કુમારપાળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36