________________
ઈતિહાસ ]
* ૧૪૮ : ભદ્રેશ્વર સંબંધી થોડી માહિતી ભદ્રેશ્વરમાં ફ. શુ. ૩-૪-૫ ને મેળે ભરાય છે. પાંચમે ઉત્સવપૂર્વક દેવા ચઢાવવામાં આવે છે. આ વખતે હજાર માણસેની હાજરી હોય છે.
અહીના મંદિરનો વહીવટ “વર્ધમાન કલ્યાણજી નામની જેન વેતાંબર પેઢી દ્વારા થાય છે. ભૂજ, અંજાર, માંડવી અને કચ્છનાં બીજ ગામના જૈન પ્રતિનિધિઓ આ પેઢીના મેમ્બર છે. કમિટીના પ્રમુખ ભૂજના નગરશેઠ સાકરચંદ પાનાચંદ છે.
કથકેટ અહીં અનેક પ્રાચીન જૈન મંદિરે હતા. તેના ભાવશે અદ્યાવધિ વિદ્યમાન છે. ઈતિહાસપ્રેમીઓ આ મંદિરના શિલ્પની અતીવ પ્રશંસા કરે છે. કચ્છી થાપત્યકળા અને શિલાલેખો' નામના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે“એકદર જતા જતાં એક કાળે તે બહુ જ ભવ્ય અને સુભિત હશે, તે માટે જરાય શક નહિં, ભદ્રેશ્વરવાળા જગડુશાહના પૂર્વજોનું બંધાવેલું છે.” ભીમ બાણાવળીએ આ જ કથકેટના કિલ્લાને આશ્રય લીધો હતે.
વર્તમાન કચછનરેશના પૂર્વમાં પ્રથમ ખેંગારજીને જૈન ચતિ માણેકરજીએ રાજ્ય સ્થાપનામાં ઘણી જ ઉત્તમ સહાય આપી હતી. ભુજનાં ત્રણ મંદિર પિકી તપાગચ્છનું મદિર અતિ જૂનું છે. ભુજની રાાપનાનું તારણ બંધાયું તે જ વખતે આ મદિરને પાયે નખાયો હતે એમ કહેવાય છે અને રાજ્ય તરફથી જ આ મંદિર બંધાઈ જૈન સંઘને અર્પણુ થયું હતું.”
(“હરી કચ્છ યાત્રાના આધારે)