________________
૩૫
જ ચમત્કારિક સામર્થ્યને અપનાર પીગલિક રહસ્યોને સામાન્ય અજ્ઞાન પ્રજાને છૂટે હાથે વહેંચવાનું ભારતના પૂર્વ પુરૂષો દ્વારા બંધ થયેલું હોવા છતાં, તે ઉત્તમ રહસ્યોને નાશ ન થાય તે માટે તેને સામાન્ય બુદ્ધિવંતે સમજી ન શકે એવી રીતે વિવિધ સંકેતેમાં પણ એવા સ્વરૂપે સંગ્રહી રાખ્યું કે, શોધક બુદ્ધિના અધિકારી મહાપુરૂષોને એ રહસ્ય મેળવી લેવામાં મુશ્કેલી ન પડે. એ ગુપ્તજ્ઞાન સદ્ગુરૂ દ્વારા સપુરૂષે જ મેળવી શકે છે.
વૈજ્ઞાનિકોએ અનેક પીગલિક આવિષ્કાર દ્વારા અનેક પ્રકારની દુન્યવી અનુકૂળતાએ કરી આપવા છતાં, એટમ બોમ્બ આદિ કેટલાક આવિષ્કારે વિશ્વ સન્મુખ રજૂ કરી દુનિયાને ભયભીત બનાવી દીધી છે. ગમે તેવું ખાવાનું, પીવાનું, ભૂમિ ઉપર કે આકાશમાં સહેલાઈથી ત્વરિત રીતે ગમન કરવાનું મળવા છતાં તે બધી અનુકૂળ સામગ્રીઓના ભક્તા એવા માનવસમૂહને, આધુનિક બોબ વર્ષો ક્યારે ભસ્મીભૂત કરી નાખશે, તે કલ્પવું ય મુશ્કેલ છે. આવા વિનાશક બેઓથી અચવા તેની સામે તે જ જાતનાં સંહારક શ યા બેઓ બનાવવાની સૌ વાત કરે છે, પરંતુ તે વિનાશક અને પગ નિષ્ફળ જાય એવા પ્રકારના સંરક્ષક આવિષ્કારને શેાધક, આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં હજુ કોઈ નીકળે નથી. અને તેવા પ્રકારના સંરક્ષક શોચાઓને આવિષ્કાર નહિ નીકળે તો હીરોશીમા અને નાગાસાકીની જેમ સમસ્ત વિશ્વમાં કયારે ઓચિંતે કેલાહલ મચી ઉઠશે, તે કાપવું ય મુશ્કેલ છે.