________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સહજ સ્મરણ આવે છે. આ રાજકુમાર ભવિષ્યે કાળક્રમે તીર્થંકર થવાના છે એવી શ્રી તીર્થંકર તથા શ્રુતકેવળીની વાણી લોકસમુદાયમાં પ્રસરી રહી હતી. તેને લઈને ત્યાંના લોકસમુદાયમાં પણ ચારે તરફ રાજકુમાર રાજકુમાર એમ મહિમા થઈ રહી હતી.
તે રાજકુમારનો સીધો ભવ અત્યારે પૂજ્ય સદ્ગુરુ મહારાજ સાહેબ તરીકેનો જ (અત્યારે બિરાજતા જગત-ઉદ્ધારક શ્રી કહાનગુરુદેવ તરીકેનો જ) છે, તેમ સહજ સ્મરણ આવે છે. રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થશે તેવી શ્રી પ્રભુ આદિની નીકળેલી વાણીનો ભાવ મને બરાબર યાદ આવે છે.
હું મહાવિદેહક્ષેત્રમાં શેઠનો પુત્ર હતો. હું જ્યાં જતો ત્યાં ઉઘાડે માથે જતો, માથે સાદા વાળ હતા, મુદ્રા ગોળ હતી, આંખ મોટી હતી, શરીરનો બાંધો સારો હતો –મધ્યસ્થ હતો.
અહીંનો એક આત્મા (મારી સાથે શાન્તાબેન તરીકે છે તે) ત્યાં મહાવિદેહક્ષેત્રમાં પુરુષદેહપણે હતો, ત્યાં શેઠના પુત્રપણે હતો. એના મકાનમાં તે પુરુષ ઊભો હતો, ત્યાં મેં તેને જોયો; ઝીણાં મલમલ જેવાં લુગડાં પહેર્યાં હતાં, શરીર બહુ પાતળું હતું, ઊંચું કદ હતું, શરીરનો વર્ણ પીળે વર્ષે ઊજળો હતો, એમનાં મોટાં મોટાં મકાન હતાં, એમને સ્ત્રી વગેરે કુટુંબ હતું, એમની સ્ત્રીએ ગુલાબી રંગનાં લુગડાં પહેર્યાં હતાં; તે આત્માનો સીધો ભવ ત્યાં પુરુષદેહપણે હતો તેમ સહજ સ્મરણ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk