Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 166
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 142 બહેનશ્રીનો જ્ઞાનવૈભવ અહા! ધન્ય છે તે સંપૂર્ણ અડોલ પરિણતિને કે જ્યાં પરની અસર, સૂક્ષ્મ પણ, સર્વ પ્રકારે સહજ છૂટી, એકલો સાક્ષીસ્વભાવ, વીતરાગસ્વભાવ, અચિંત્ય ને અદ્દભુત એવું આત્મદ્રવ્ય પોતાના સ્વભાવોને–તરંગોને વેદી રહ્યું છે, તેમાં પરિણમી રહ્યું છે, કોઈ અદ્ભુતતામાં ખેલી રહ્યું છે! -1993 હવે તો વિભાવના બધા વિકલ્પથી છૂટીને વીતરાગપર્યાયે પરિણમશું ત્યારે ધન્ય થશે! હજારો મુનિઓનાં ટોળાં જે કાળે વિચરતાં હશે તે પ્રસંગને ધન્ય છે! તેવા કાળે મુનિપણું લઈ ઘડીમાં અપ્રમત્ત, ઘડીમાં પ્રમત્ત એવી દશાને સાધી વીતરાગપર્યાયે પરિણમશું ત્યારે ધન્ય થશે! અત્યારે પણ જેમ બને તેમ પુરુષાર્થ વધારી નિર્મળ પર્યાયને વિશેષ વિશેષ પ્રગટ કરવી તે જ શ્રેયરૂપ છે. -2003 Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 164 165 166