________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણ જ્ઞાન
૬૩
શ્રી સીમંધર ભગવાન દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ કહેતા હતા. તેમની વાણી અનંત અનંત રહસ્યોથી ભરેલી હતી, તેમ સ્મરણ આવ્યા કરે છે; તીર્થકર અને ગણધર પણાની વાતનું વારંવાર સ્મરણ આવ્યા કરે છે. આ રાજકુમાર ભવિષ્ય ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં શ્રી સૂર્યકીર્તિસ્વામી તથા શ્રી સર્વાંગસ્વામી નામના તીર્થકર થશે, આ દેવાભાઈ તેમના દેવેન્દ્રકીર્તિ નામે ગણધર તથા તેમના પુત્ર થવાના છે. (દેવેન્દ્રકીર્તિ કુમારનું આ નામ સહિત બીજું પણ નામ હોય તેમ ખ્યાલમાં આવે છે.) આ લાભભાઈ તેમના બીજા ચંદ્રકીર્તિ નામે ગણધર તથા પુત્ર થવાના છે, તે બધી વાતનું વારંવાર સ્પષ્ટપણે સ્મરણ આવ્યા કરે છે.
મહાવિદેહક્ષેત્રનાં જિનમંદિરો મોટાં મોટાં ભવ્ય હતાં તેમ સ્મરણ આવે છે. કોઈ જુદી જાતનાં રત્નો મંદિરની ભીંતોમાં હતાં, તે રત્નોનો પ્રકાશ એવો હતો કે આખું મંદિર પ્રકાશથી છવાઈ રહ્યું હતું. ભગવાનનાં પ્રતિમાજી રત્નોનાં, પ્રકાશવાન, અદ્દભુત હતાં. આપણે બધા જિનમંદિરે દર્શન કરવા જતા હતા એમ સ્મરણ આવે છે. ભગવાનના પ્રતિમાજી વિષે આટલું સ્મરણમાં આવે છે. આથી વિશેષ વર્ણન થાય એવી રીતે સ્મરણમાં આવતું નથી. (આ જીવે પૂર્વે દેવાભાઈના ભવમાં જોયેલું હોય તે યાદ આવે છે.)
જ્ઞાનસાગર ગુરુદેવની કૃપામય ઉપકારને વારંવાર પરમ ભક્તિથી
નમસ્કાર.
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk