________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
૧૩૩ નિવૃત્તિની છે. સાદી ભાષા બહુ, ચાર ચોપડી ભણેલાને બેસી જાય એવી છે.
*
*
(તા. ર૯-૧૧-૭૭) બેનનાં વચનામૃત એ કેવળજ્ઞાનનો કક્કો છે. બે-ચાર વાર નહિ પણ દસ વાર વાંચશે ત્યારે સમજાશે.
* * ઓહો ! સાદી ભાષા, મંત્રો છે મંત્રો. આ તો લાખો શાસ્ત્રોનો નિચોડ છે. લાખો શું? કરોડ, અનંત શાસ્ત્રોનો આશય આલંબન કરાવવું તે છે. લોકો વાંચશે તો અહાહા ! ... બાહુબલીમાં ભટ્ટારક જોયું તો કહે કે “મને આપો; ઓહો ! આવું પુસ્તક !'
બેનની (ચંપાબેનની) તો શી વાત કરું! તેમની નિર્મળ દષ્ટિ અને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ આ કાળે અજોડ છે. એ તો અંદરથી જ ઉદાસ ઉદાસ છે. તેમને વિષે વિશેષ શું કહ્યું? અમારે મન તો તે ભારતનું ધર્મરતન, જગદમ્બા, ચૈતન્યરત્ન ધર્મમૂર્તિ છે, હિન્દુસ્તાનનો ચળકતો તારો છે.
* *
(જામનગર, એપ્રિલ-૭૯) બેનને અસંખ્ય અબજો વર્ષનું જ્ઞાન છે-૯ ભવનું જ્ઞાન છે (-ભૂતના ૪ ભવિષ્યના). બેન તો ભગવાન પાસેથી આવ્યાં છે. અનુભવમાંથી આ વાત આવી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk