________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવના હૃદયોદ્ગાર
૧૨૯ આવે છે ને ‘બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે!' ઘણું સરસ !
* *
બેન તો મહાવિદેથી આવ્યાં છે. એમના અનુભવની આ (વચનામૃત) વાણી છે. હીરાથી વધાવ્યાં તો ય તેમને કાંઈ નહિ. બેન તો (થોડા ભવમાં) કેવળજ્ઞાની થશે.
(તા. ૨૨-૧-૭૮) અમે (સીમંધર) ભગવાન પાસેથી સીધા જ આવ્યા છીએ. આ વચનામૃતમાં ભગવાનની ધ્વનિનાં મંત્રો ભરાઈ ગયા છે. બેનની (ચંપાબેનની) શી વાત કરવી! તે તો ધ્યાનમાં ધ્યાનમાં બસ ધ્યાનમાં રહે છે. આનંદ આનંદ આનંદમાં છે. તેમનો દેહ સ્ત્રીનો છે તેથી ખ્યાલ ન આવે.
* * (તા. ૧૯-૯-૮૦) વચનામૃતના એક-એક શબ્દમાં સારો (–પુરો) સાર ભર્યો છે. વિચારને દીર્ઘપણે લંબાવીને અંતરમાં જા. અહાહા! બેનની (ચંપાબેનની) કેવી સ્થિતિ છે! કહે છેઆત્મા” બોલતાં શીખ્યા તો અહીંથી (ગુરુદેવ પાસેથી) ! ગજબ છે એમનો વિનય અને નમ્રતા !
* * બેન વિદેથી આવ્યાં છે. એમને તો અસંખ્ય અબજ વર્ષનું જાતિસ્મરણજ્ઞાન છે. અસંખ્ય અબજ વર્ષની વાત, કાલની આજ દેખાય તેમ દેખાય છે. .. આત્મજાતિનું જ્ઞાન થવું તે યથાર્થ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk