Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 119
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ આ બધું સહુજ સ્મરણમાં આવેલ છે તે લખાઈ જાય છે. આ જીવ અનંત કાળમાં પરિભ્રમણ કરતાં અત્યારે ભરતભૂમિમાં છે. ભાવી તીર્થકર, ગયા ભવના રાજકુમાર, શ્રી કહાનગુરુદેવના સાન્નિધ્યમાં તેમનાં ચરણોમાં રહેવાનો સુયોગ આ ભરતભૂમિમાં સાંપડયો છે. શ્રી ગુરુદેવના અંતરમાં પ્રગટેલા ઝળહળતા શ્રુતજ્ઞાનસૂર્ય દ્વારા અનુપમ રહસ્યો ઝરતી અમૃત-વાણી નિરંતર સુણવાનો અપૂર્વ યોગ પ્રાપ્ત થયો છે તે મહા ભાગ્ય છે. ગુરુદેવની નિરંતર વાણી, તેમના આહારદાન વગેરેના પાવન પ્રસંગો જે પંચમ કાળે મળ્યા તે અહોભાગ્ય છે. અનંત કાળના પરિભ્રમણનું દુઃખ અને વિભાવનું દુ:ખ સર્વ પરદ્રવ્ય, પરભાવો ને ભેદભાવોથી ન્યારા શુદ્ધાત્મતત્ત્વને બતાવનારી ગુરુદેવની વાણીથી સહજ ટળે છે. પૂ. ગુરુદેવે શુદ્ધાત્મતત્ત્વને પ્રગટ કરવાનો માર્ગ બતાવી પંચમ કાળમાં અનેક જીવોના દુ:ખ ટાળ્યાં છે; સુખધામ, આનંદધામ આત્માને પ્રગટ કરવાનો માર્ગ સુગમ કર્યો છે. પરમ પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણકમળોમાં પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર. આ બધો પ્રતાપ શ્રી ગુરુદેવનો જ છે. શ્રી કહાનગુરુદેવના ભૂતકાળના ભવો અને ભાવીકાળના Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166