Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 141
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવના હૃદયોદ્દગાર ૧૨૧ (તા. ૧૨-૯-૭૧) બેન (ચંપાબેન ) ની નિર્મળતા ઘણી ઘણી ! નિર્મળતા-નિર્મળતા ! અપૂર્વ અપૂર્વ સ્મરણ! શાંત ને ગંભીર ! બેન તો ધર્મરતન છે. મહાવિદેહમાં ઘણી નિર્મળતા હતી; ત્યાંની નિર્મળતા લઈને અહીંયાં આવ્યાં છે. એકાંતપ્રિય, શાંતિથી એકલાં બેસી પુરુષાર્થ કર્યા કરે છે. એમને કયાં કોઈની પડી જ છે! કુટુંબનીયે નથી પડી. અંતર સ્વરૂપપરિણતિમાં રહે છે. ** ( તા. ૧૯-૯-૭૧) ઓહો! બેનના જ્ઞાનની નિર્મળતાની શી વાત કરવી! ઘણું સ્પષ્ટ જ્ઞાન!... બેન તો જબરી આરાધના કરે છે. એકલાં બેઠાં પોતાનું કામ કર્યા જ કરે છે. હવે તો એમને બહાર પાડવાં જ છે. એમનો જયજયકાર થશે, એમની ઘણી જાહોજલાલી થશે, જે જીવશે તે જોશે. અલૌકિક દ્રવ્ય છે, એમની લાઈન જ જુદી છે. ... ** (ભા. સુ. ૧૧, સં. ૨૦૨૬)... બેન બોલે છે તો ઘણું થોડું. દીકરીઓનાં ઘણાં ભાગ્ય છે. જો મૌન રહે તો પણ એનાં દર્શનથી તો લાભ જ છે. અમને ઘણા વખતથી ખ્યાલમાં હતું: બેનની ઘણી શક્તિ છે. ** (કા. વ. ૧૨ સં. ૨૦૨૨) રાજુલને પૂર્વભવનું ગીતાનું યાદ આવ્યું તે તો સામાન્ય વાત; બેનને (બહેનશ્રીને ) તો દ્રવ્ય ને ભાવે બંને પ્રકારે સ્મરણ છે. શુદ્ધ આત્માના જ્ઞાન સહિતનું ઘણું જ્ઞાન ** Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166