Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 162
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ વાંચન, વિચાર તથા સ્વરૂપસ્થિતિ અંતરંગ આત્મવીર્ય ઊપડે છે તે પ્રકારે થયા કરે છે. સાધકોની દશા જગતથી નિરાળી હોય છે. કોઈ કોઈ વાર સ્વરૂપમાં સહજપણે-નિર્વિકલ્પપણે ઠરી જાય છે; અને વળી બહાર આવે છે ત્યારે પણ ભેદજ્ઞાનની-જ્ઞાતાધારાની-સહજ સમાધિ પરિણમતી હોય છે. સ્વરૂપમાં લીન થાય છે ત્યારે આત્માના અચિંત્ય અનંત ગુણપરિણમનના તરંગોને વેદે છે. એમ થતાં થતાં, સાધકધારા વધતાં વધતાં મુનિપણાની દશા પ્રગટતાં, મુનિપણું આવે છે, અને ક્રમે કરી શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે, સ્વપ૨પ્રકાશક-સ્વભાવવાળું જ્ઞાન પૂર્ણપણે પરિણમે છે, આનંદ આદિ અનંત ગુણ પૂર્ણપણે પરિણમે છે. તે દશાને ધન્ય છે. વારંવાર ધન્ય છે. સુખ ને આનંદ સ્વરૂપમાં છે, વિભાવ બધો દુઃખરૂપ ને ઉપાધિ રૂપ છે. -૧૯૯૩ સૂક્ષ્મ ને તીક્ષ્ણ શ્રુતશૈલીથી, ચારે પડખેથી દિવ્ય અમૃતધોધ વરસાવનાર અદ્દભુત ગુરુદેવનાં ચરણકમળમાં નમસ્કાર હો. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166