Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવાણી-સાર તેના બે પ્રકાર છે: (૧) નિર્વિશમાનક એટલે કે તપ કરનાર, અને (૨) નિર્વિષ્ટકાયિક એટલે કે સેવાચાકરી કરનાર,
૪. સૂક્ષ્મપરાય ચતઃ જેમાં કોધ આદિ કષાય ઉદયમાન નથી હોતા, ફક્ત લોભનો અંશ અતિ સૂક્ષ્મપણે હોય છે, તે સૂક્ષ્મપરાયસંત', તેના બે પ્રકાર છે? (૧) સંકિલશ્યમાનક, એટલે કે ઉપશમશ્રેથી નીચે પડતો (૨) અને વિશુધ્યમાનક, એટલે કે ઉપશમણું કે ક્ષપકશ્રેણી ઉપર ચડત.
૫. યથાખ્યાત સંયત: જેમાં કઈ પણ કપાય ઉદયમાન નથી હોતો, તે “યથાખ્યાત સંયત” કહેવાય. તેના બે પ્રકાર છે: (૧) છદ્મસ્થ, એટલે કે જેને હજુ કેવલજ્ઞાન થયું નથી, તેવો (૨) અને કેવલી, એટલે કે જેને કેવલજ્ઞાન થયું છે તે.
• તે તપમાં અમુક સંખ્યાના સાધુઓ ગચ્છમાંથી નીકળી તપ અંગીકાર કરે છે, તેમાં વારા ફરતી એક ગુરુસ્થાને રહે છે, બીજા અમુક તપ કરે છે, અને બીજા અમુક સેવા કરે છે. વિગત માટે જુઓ આ માળાનું ‘અંતિમ ઉપદેશ, પુસ્તક પા. ૧૬૭, . ૩, તથા આ ગ્રંથમાં જ ત્રીજા સિદ્ધાંતખંડમાં જીવવિભાગમાં પ્રકરણ ૬માં ઉમે લબ્ધિવાળા વિભાગ.
૧. આમિક શુદ્ધિ કે વિકાસની ૧૪ પાયરી – કે જે ગુણસ્થાને કહેવાય છે, તેમાં ૧૧ અને ૧૨ ગુણસ્થાને પહોંચેલો છઘસ્થ કહેવાય છે; પછી ૧૪માં ગુણસ્થાનમાં તેને સર્વગ્રુપણું પ્રાપ્ત થઈ, ૧૪ માને અંતે શરીરપાત થતાં તેને વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. “જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૧૨, ટિ. નં. ૬; તથા આ ગ્રંથમાં ત્રીજા સિદ્ધાંતખંડમાં છવવિભાગમાં પ્રકરણ સુને અને ટિ. નં. ૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org