Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પુદગલ
૪૮૫ મ0 – હે ગૌતમ! અન્યતીર્થિક જે એ બધું કહે છે, તે ખોટું છે. હું એમ કહું છું કે બે પરમાણુપુગલો એક એક પરસ્પર ચોટી જાય છે. બે પરમાપુગમાં -ચીકાશ છે માટે બે પરમાણુપુલ એક એક પરસ્પર ચોટી જાય છે. જે તે બે પરમાપુદ્ગલના બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુપુગલ આવે, અને બીજી તરફ એક આવે. તે પ્રમાણે ત્રણ અને ચારનું પણ સમજવું. પાંચ પરમાણુપુગલે એક એકને ચાટીને સ્કંધ અને ખરો; - તથા તે હાનિવૃદ્ધિ પણ પામે; પરંતુ તે દુઃખ- કર્મ – પણે ન સંભવે. કારણ કે કર્મ અનંત પરમાણુરૂપ હોવાથી અનંત સ્કંધરૂપ છે. પાંચ પરમાણુ તો માત્ર સ્કંધરૂપ જ છે. કર્મ જે પાંચ જ પરમાણુરૂપ હોય તો અસંખ્યાત પ્રદેશવાળા જીવને કેવી રીતે ઢાંકી શકે ? વળી કર્મને શાશ્વત માનવામાં આવે તે તેનો ક્ષયપશમ વગેરે ન થવાથી જ્ઞાનાદિની હાનિ અને વૃદ્ધિ ન સંભવે, માટે કર્મ શાશ્વત ન હોવું જોઈએ. તેને ચય અને નાશ સંભવે જ છે.'
વિવરણ: પુગલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળાં છે. જ્યાં સ્પર્શ હોય ત્યાં બધે રસ, ગંધ અને રૂપ પણ હાય. માટે પૃથ્વીની પેઠે પાણીમાં, વાયુમાં અને તેમાં પણ એ ચારે ગુણે છે; તથા પૃથિવીપરમાણુની પેઠે મનમાં પણ
cus
૧. જે એક બાજુ દેઢ આવે, તો અડધા પરમાણુમાં પણ ચીકાશ સ્વીકારી; તે પછી બે પરમાણુ ન ચોટે એમ કહેવાનો પણ અર્થ શું ? વળી જેનો અડધો ભાગ થઈ શકે, તે પરમાણુ પણ શાને ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org