Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૨૮
શ્રાભગવતીશ્વર મૃત એ બે જ્ઞાનવાળા કે મતિ અને શ્રત એ બે અજ્ઞાનવાળા પણ હોય છે.
પંચૅકિય તિર્યંચ જ્ઞાની અને અજ્ઞાની બને છે. જે જ્ઞાની છે, તેમાં કેટલાંક બે જ્ઞાનવાળાં અને કેટલાંક ત્રણ જ્ઞાનવાળાં છે; એવું જ ત્રણ અજ્ઞાનનું પણ જાણવું.
મનુષ્યોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. વાનયંતર દેવોને નારકની પેઠે જાણવું. જ્યોતિપિકા અને વૈમાનિકોને અવશ્ય ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન હોય છે. સિદ્ધો જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી; તેઓ અવશ્ય એક કેવળજ્ઞાનવાળા છે.
તીર્થકર જેવા જ મનુષ્યગતિમાં જતાં અંતરાલ ગતિએ પણ અવધિજ્ઞાન સહિત હોય છે. જે અજ્ઞાની છે, તે વિર્ભાગજ્ઞાનથી પડ્યા પછી મનુષ્યગતિમાં જાય છે, માટે તેમને બે અજ્ઞાન જ હોય છે. દેવગતિમાં જતાં જ્ઞાની જેને અવધિજ્ઞાન દેવાયુષને પ્રથમ સમયે જ ઉત્પન્ન થાય છે; તેથી તેઓને અવશ્ય ત્રણ જ્ઞાન હોય છે. જે અજ્ઞાની છે, તે અસંસી થકી દેવગતિમાં ઉત્પન્ન થાય છે; તેઓને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાનનો અભાવ હોવાથી બે અજ્ઞાન
૧. બે ઇઢિયાદિ માં, પૂર્વ બદ્ધાયુષ મનુષ્ય કે તિર્યંચ પશમિક સમ્યગદષ્ટિ જીવ, ઉપશમ-સમ્યકત્વને વમતે ઉત્પન્ન થાય, ત્યારે તેને અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદન સમ્યગદર્શન હોય છે. તે ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે છે આવલિકા સુધી રહે છે. ત્યાં સુધી તે જ્ઞાની કહેવાય છે. પછી તે મિથ્યાત્વને પ્રાપ્ત થાય ત્યારે અજ્ઞાની કહેવાય છે.
૨. અવધિજ્ઞાન ભવપ્રત્યય હોવાથી અંતરગતિમાં પણ હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org