Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર તથા લાકડી આદિનાં એક કે અનેક સંખ્યય રૂપે વિકર્વી શકે છે. તે બધાં સંબદ્ધ હોય છે, અસંબદ્ધ નથી હોતાં; વળી તે સદશ હોય છે, અસદશ નથી હોતાં. એ રૂપને વિકુવને એક બીજાના શરીરને અભિહણતા અભિહણતા તેઓ વિપુલ, પ્રગાઢ, કર્કશ, પરુષા, નિષ્કુરા, ચંડ, તીવ્ર, દુઃખરૂપ, દુર્ગ, અને દુરધિસહ્ય વેદનાને ઊભી કરે છે.
– શતક ૫, ઉ૦ ૬.
સુખદુઃખ દેખાડી શકાય નહિ ૌ–હે ભગવન્ ! અન્યતીથિંકે એમ કહે છે કે, રાજગૃહનગરમાં જેટલા જીવો છે, તેટલા જીવોને કોઈ બરના ઠળિયા જેટલું પણ, વાલ જેટલું પણ, કલાય કે ચેખા જેટલું પણ, અડદ જેટલું પણ, મગ જેટલું પણ, જૂ જેટલું પણ, અને લીખ જેટલું પણ સુખ યા દુઃખ કાઢીને દેખાડવા સમર્થ નથી. હે ભગવન્ ! તે એમ કેવી રીતે હોઈ શકે ?
મ–હે ગૌતમ ! તે લેકે જે કહે છે તે મિથ્યા છે. હું એમ કહું છું કે, સર્વ લેકમાં પણ સર્વ જીવોને કોઈ સુખ યા દુઃખ દેખાડવા સમર્થ નથી. કોઈ મહા અદ્ધિ અને પ્રભાવવાળા દેવ એક મેટે ગંધદ્રવ્યને દાબડો લઈને ઉઘાડે અને તેને ઉઘાડી, સંપૂર્ણ જંબુદીપને ત્રણ ચપટી વગાડે તેટલામાં ૨૧ વાર ફરી શીધ્ર પાછો આવે, તો તે
૧. મૂળમાં તે ઉપરાંત મુસુંઢિ, શક્તિ, ભિંડમાળ આદિ વધારે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org