Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર ૨. તે જ પ્રમાણે કષાયના ઉદયથી ઘેરાઈ જઈ, કષાયકર્મનાં પુદ્ગલોને ખેરવી નાખે, ત્યારે “કષાયસંમુઘાત”
જાય,
૩. તે જ પ્રમાણે ચાલુ આયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે શરીર કરતાં ઓછામાં ઓછી આગળના અસંખ્યય ભાગ જેટલી માટી અને વધારેમાં વધારે અસંખ્યય જન મેટી જગામાં વ્યાપીને અંતર્મુહૂર્તમાં આયુષ્યકર્મનાં અનેક પુદ્ગલને ખેરવી નાખે, ત્યારે “મરણસમુઘાત' કહેવાય.
૪. દેવ, નારકી, પવન અને કેટલાક મનુષ્ય તથા પંચૅકિય તિમાં રૂપ ફેરવવાની શક્તિ હોય છે. તે પ્રમાણે તે શક્તિથી તે પિતાના પ્રદેશને શરીર જેટલા પહોળા જાડા પણ સંખ્યય યોજન લાંબા દંડના આકારમાં બહાર પ્રસરાવી, જેને લઈને શરીરનું સૌંદર્ય હીણું વગેરે થયું હોય તે પુદ્ગલેને અંતર્મુહૂર્તમાં ખંખેરી નાખી, જેને લઈને શરીર ધારે તેવું કરી શકાય તેવાં સૂમ પુગલો લે છે, અને લાંબુ, ટૂંકું સુંદર વગેરે રૂપ ધારણ કરે છે. તે ક્રિયા “વૈક્રયસમુદ્યાત” કહેવાય.
૫. તપસ્યા કરતાં તપસ્વીઓને જેમ અનેક વિભૂતિઓ મળે છે, તેમ અનેક ગામ વગેરેને બાળી નાખવાને સમર્થ તેલેસ્યા નામની વિભૂતિ પણ મળે છે. તે તેજોલેસ્યા જ્યારે છોડવામાં આવે ત્યારે તૈજસસમુઘાત થાય છે. ( ૬. ચૌદ પૂર્વ જાણનારે મુનિ અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થકરને શંકાને ઉત્તર પૂછવા જે નાનું શરીર ધારણ કરે છે, તે આહારક”૧ શરીર કહેવાય છે. તે કરતી વખતે “આહારક ૧. વિશેષ માટે જુઓ આગળ પા. ૭૩ નોંધ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org