Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર બ્રાહ્મણને તેવાં ઋદ્ધિ આદિ પ્રાપ્ત થયાં નથી, માટે બહુલને ત્યાં મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક મહાવીર ભગવાન જ હશે”, એમ નિશ્ચય કરી, તે ત્યાં આવ્યા અને મારી શોધ કરવા લાગ્યો. પછી કાલાકની બહારના ભાગમાં મનોજ્ઞ ભૂમિ વિષે તે મને મળ્યો, અને સંતુષ્ટ થઈ મને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, “તમે મારા ધર્માચાર્યું છે, અને હું તમારે શિષ્ય છું” એમ બેલ્યો. મેં મંલિપુત્ર ગોશાલકની એ વાત સ્વીકારી. પછી હે ગૌતમ! હું ગોશાલકની સાથે છે વર્ષ સુધી લાભ-અલાભ, સુખ-દુઃખ આદિને અનુભવ કરતા અને તેની અનિત્યતાને વિચાર કરતો પણિયભૂમિમાં વિહરવા લાગ્યા.
એક વખત પ્રથમ શરદ કાળના સમયમાં વૃષ્ટિ થતી નહતી ત્યારે હું તથા ગોશાલક સિદ્ધાર્થગ્રામ નામે નગરમાંથી નીકળી કુર્મગ્રામ નામે નગર તરફ જતા હતા તેવામાં રસ્તામાં એક મોટે પત્ર-પુષ્પાદિવાળા તલનો છોડ આવ્યો.. તેને જોઈ ગાશાલકે મને પૂછ્યું કે હે ભગવન ! આ તલને
૧. કલ્પસૂત્રમાં તે પણિયભૂમિમાં એક જ ચોમાસું ગાળેલું જણાવ્યું છે; જ્યારે અહીં છ વર્ષ ત્યાં રહ્યાનો ઉલ્લેખ છે. એને ખુલાસો એમ કરાય છે કે, પણિયભૂમિએ શબ્દ પંચમી વિભક્તિનો હાઈ પણિયભૂમિમાં ગોશાલકને મળ્યા બાદ (એટલે કે પણિયભૂમિથી માંડીને) મહાવીર ગોપાલક સાથે છ વર્ષ રહ્યા, એ અર્થ છે. કેટલાક તે શબ્દને સાતમી વિભક્તિને ગણી. તથા વિશેષણ ગણી, પ્રણીત એટલે કે, મને જ્ઞ – સુંદર ભૂમિમાં (મિથિલામાં) તે છે વર્ષ રહ્યા, એ પણ અર્થ કરે છે. પરંતુ કલ્પસૂત્રમાં તો તે વિશેષ નામ છે, અને ટીકાકાર તેને અનાર્યદેશ ગણે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org