Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર ત્યારે તે સ્થવિરેએ તેમને કહ્યું કે, “હે આર્યો ! અમારા મતમાં અપાતું તે અપાયેલું, ગ્રહણ કરાતું તે ગ્રહણ કરાયેલું અને પાત્રમાં નંખાતું તે નંખાયેલું છે. તેથી હે આર્યો! અપાતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં નથી પડો. તેવામાં વચમાં કાઈ પદાર્થનો તે અપહાર કરે, તે તે અમારા પદાર્થને અપહાર થયો એમ કહેવાય. માટે અમે દત્તનું જ ગ્રહણ કરીએ છીએ, અને ભજન કરીએ છીએ. તેથી અમે અસંયમી વગેરે નથી.”
– શતક ૮, ઉદ્દે છે. ૨: કેટલા મતો છે ? અનેક પ્રકારના પરિણામવાળા જીવો જેને વિષે રહે, તે “સમવસરણ” – મત અથવા દર્શન કહેવાય છે.
ગૌ –હે ભગવન ! કેટલાં સમવસરણો – મનો. કહ્યાં છે?
મ– હે ગૌતમ ! ચાર સમવસરણો કહ્યાં છે : ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વિનયવાદી.
વિવરણઃ આ મતોના સંબંધે સવિસ્તર હકીકત મળી શકતી નથી. સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બારમા સમવસરણ અધ્યયનમાં આ મતોનું સંક્ષિપ્ત વર્ણન
૧. મૂળમાં તો, પેલા અન્યતીથિં, “તમારે મને અપાતું તે અપાયેલું નથી” માટે તમે દેશી છે એવો આક્ષેપ કરે છે. દ્દાચ જમાલિ જેને હોવા છતાં તેનો મત ઉપર પ્રમાણે હોવાથી પેલાઓએ આ જેને પણ એમ કહ્યું હોય.
૨. જુઓ આ માળાનું સંયમધર્મ પુસ્તક, પા. ૧૩૪.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org