Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૯૪
પંચસંગ્રહ-૨
સંજ્વલનમાયા અપગ્રહ થાય ત્યારે સંજ્વલલોભ રૂપ એકના પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી પનો, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય એ બે માયા ઉપશમ્યા પછી સમયોન બે આવલિકા સુધી ત્રણનો અને સંજ્વલનમાયાનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી બેનો સંક્રમ હોય છે. અને નવમા ગુણસ્થાનકનો સમયોન બે આવલિકાકાળ બાકી રહે ત્યારે સંજ્વલનલોભ પણ અપતટ્ઠહ થવાથી મોહનીયની કોઈપણ પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી.
ક્ષપકશ્રેણિ આશ્રયી પતઘ્રહમાં સંક્રમસ્થાનો ચાર સંજ્વલન અને પુરુષવેદ એ પાંચના પતધ્રહમાં મધ્યમના આઠ કષાયનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧ અને આઠ કષાયનો ક્ષય થયા બાદ ૧૩, અંતરકરણ કર્યા પછી સંજવલને લોભનો સંક્રમ ન હોવાથી શેષ ૧૨, નપુંસકવેદના ક્ષય પછી ૧૧, સ્ત્રીવેદના ક્ષય પછી ૧૦, એ પાંચ સંક્રમસ્થાનો હોય છે.
પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયોન બે આવલિકા રહે ત્યારે પુરુષવેદ અપતટ્ઠહ થવાથી શેષ ચાર સંજ્વલન રૂપ પતધ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૦નો સંક્રમ હોય છે. અને હાસ્યષર્કનો ક્ષય થયા બાદ પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ ચારનો સંક્રમ સમયોન બે આવલિકા સુધી ચારના પતઘ્રહમાં થાય છે. તેમજ હાસ્યષકના ક્ષય પછી સમયોન બે આવલિકાકાળે પુરુષવેદનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. તેથી સંજવલન ક્રોધમાં સંક્રમવા યોગ્ય કોઈપણ પ્રકૃતિ રહેતી નથી. કારણ કે અંતરકરણ કર્યા પછી સંજ્વલન ક્રોધાદિ ચારનો સંક્રમાં અનુક્રમે જ થાય છે. માટે પુરુષવેદના ક્ષય સાથે જ સંજ્વલન ક્રોધની પતટ્ઠહતા નષ્ટ થઈ જાય છે. એ જ પ્રમાણે હવે પછી પણ ક્રોધાદિનો ક્ષય થાય ત્યારે માનાદિકમાં સંક્રમવા યોગ્ય કોઈ પ્રકૃતિ ન રહેવાથી સંજ્વલન ક્રોધના ક્ષયની સાથે જ સંજવલન માનની, સંજવલન માનના ક્ષયની સાથે જ સંજવલન માયાની અને સંજવલન માયાના ક્ષયની સાથે જ સંજવલન લોભની પતગ્રહતા નષ્ટ થાય છે. તેથી પુરુષવેદના ક્ષયની પછી સંજવલન માનાદિક ત્રણના પતઘ્રહમાં અંતર્મુહૂર્તકાળ સુધી સંજવલન ક્રોધાદિ ત્રણનો, સંજવલન ક્રોધનો ક્ષય થયા પછી સંજવલન માયાદિ બેના પતઘ્રહમાં અંતર્મુહૂર્ત સુધી સંજવલન માનાદિ બેનો અને સંજ્વલન માનનો ક્ષય થયા બાદ સંજ્વલન લોભારૂપ એકના પતંગ્રહમાં અંતર્મુહૂર્વકાળ સુધી એક સંજ્વલન માયાનો સંક્રમ થાય છે. અને સંજ્વલન માયાનો ક્ષય થયા પછી મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિનો કોઈપણ પ્રકૃતિમાં સંક્રમ થતો નથી.
અંતરકરણ કર્યા પછી સંજવલન લોભનો સંક્રમ થતો નથી માટે અંતરકરણ થયું છે કે નથી થયું તેમજ ઔપથમિક તથા લાયોપથમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો સંક્રમ થાય છે, ક્ષાયિકને નહીં માટે ક્ષાયિક સમ્યફ્તી છે કે અન્ય સમ્યગ્દષ્ટિ છે તેમજ અનંતાનુબંધી, સમ્યક્વમોહનીય તથા મિશ્રમોહનીયની ઉદ્ધલના કરી હોય તેને તેનો, અથવા અનંતાનુબંધીની ઉદ્ધલના કરી મિથ્યાત્વ ગુણઠાણે આવેલ જીવને તેની પ્રથમ બંધાવલિકામાં અનંતાનુબંધીનો સંક્રમ હોતો નથી, અન્યને હોય છે અને શેષ મોહનીયની પ્રકૃતિઓનો ક્ષય અથવા ઉપશમ ન થાય ત્યાં સુધી સંક્રમ હોય છે પણ પછી હોતો નથી. આ બાબતો ધ્યાનમાં રાખવાથી સંક્રમસ્થાનો સહેલાઈથી શોધી શકાશે.