________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪
કલશામૃત ભાગ-૩ પ્રવચન નં. ૯૨
તા. ૧૧-૯-'૭૭ કલશ - ૯૫ : ઉપર પ્રવચન વિપરીત માન્યતામાં કેટલું નુકશાન છે અને અવિપરીત માન્યતામાં એટલો જ લાભ છે એ બન્નેની ખબર નથી.
અહીં સવિકલ્પની વ્યાખ્યા વિકલ્પ સહિત” “સવિત્પસ્ય’ એમ શબ્દ છે ને? એ શબ્દોનો સીધો અર્થ લ્યો તો વિકલ્પ સહિત. હવે વિકલ્પ સહિતની વ્યાખ્યા-કર્મના નિમિત્તના સંગે ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના ભાવ તેને પોતાના જાણવા એ સવિકલ્પ છે. પરમાત્માનો પંથ તો આ છે ભાઈ ! આ દયા–દાન-વ્રત ભક્તિના ભાવ ઉત્પન્ન થાય છે તે પરમાર્થે તો કર્મજનિત છે. સ્વભાવમાં કોઈ શક્તિ ને ગુણ નથી કે વિકલ્પ થાય. પર્યાયમાં જે વિકલ્પ થાય છે તે પર્યાયની યોગ્યતાથી થાય છે. તે પર્યાય જ્યારે પોતાનો સંગ છોડી અને પરનો સંગ અથવા કર્મનો સંગ કરે છે તો રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ?
ભગવાન આનંદની મૂર્તિ પ્રભુ! અનાકુળ આનંદનો રસ ભગવાન! વિજ્ઞાન એક રસ જેનો છે તેને છોડીને ઉપાધિ મેલ જે શુભભાવ હો કે અશુભભાવ હો તેમાં રોકાયો છે. મૂળ રોકાયો છે શુભભાવમાં એ દયા–દાન-વ્રત-ભક્તિ તપસ્યા જાત્રાના વિકલ્પ જે છે તે સવિકલ્પસ્ય છે. વાત થોડી ઝીણી પડે. સવિકલ્પસ્ય શબ્દમાં એટલું બધું ભર્યું છે. જે રાગાદિભાવ છે એ વિકલ્પ રાગ છે, તે પોતાના સ્વરૂપમાં નથી. એ રાગને જે પોતાનો જાણે છે તે સવિકલ્પ જીવ મિથ્યાષ્ટિ છે.
કહે છે- આ બહારની તો વાત શું કરવી. શરીર, સ્ત્રી, કુટુંબ, મકાન અને પૈસા મારા એ તો સ્થૂળ મિથ્યા દૃષ્ટિ છે. તે બહુ મોટો જૂઠો છે. અહીં તો પરમાત્મા એમ કહે છે “સવિકલ્પસ્ય” કર્મભનિત છે જે અશુદ્ધ રાગાદિ ભાવ તેમને પોતારૂપ જાણે છે એવા મિથ્યાદેષ્ટિ જીવને રાગ છે તે હું છું.... એમ રાગ સહિત પોતાને માને છે એ સવિકલ્પ જીવ મિથ્યાષ્ટિ છે.
શ્રોતા:- વિકલ્પ સ્વભાવમાં નથી અને વિકલ્પને પોતાનો માને તો મિથ્યાષ્ટિ છે. સૂક્ષ્મ વાત છે ભગવાન! તારો પંથ તો કોઈ અલૌલિક છે નાથ ! વર્તમાનમાં તો બહારમાં ગડબડ થઈ ગઈ છે. જ્યાં સત્ય બહાર આવ્યું ત્યાં ગડબડી થઈ ગઈ. આ સાંભળ્યું નહીં ફરીથી ત્યાં તોફાન થયું છે. આ તમારા ભાઈ કહે– આવું તોફાન અમારે ત્યાં થાય તો શું કરવું? તમારે સહન કરવું પ્રભુ!
પ્રશ્ન:- સહન ન થાય તો શું? ઉત્તરઃ- સહન ન થાય તેમ નહીં. પોતાના જાણવામાં રહેવું તેમાં શું છે? જગતમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com