Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 222
________________ ૨૩ લઘુસંગ્રહણી નીલવંત પર્વતનું વર્ણન પ્રશ્ન ૧૫૪. મહાવિદેહ ક્ષેત્રથી આ પર્વત કયાં આવેલ છે.?તેનું માપ કેટલું ? ઉત્તર : મહાવિદેહ ક્ષેત્રથી આ નીલવંત પર્વત ઉત્તર તરફ આવેલ છે. તેનું માપ વગેરે નિષધ પર્વતની જેમ જાણવું .નામફેર હોય છે. તે બતાવાય છે. પ્રશ્ન ૧૫૫. આ પર્વતનો રંગ કેવો હોય છે? ઉત્તર : નિલવંત પર્વત વૈડૂર્ય રત્ન જેવા લીલો હોય છે. પ્રશ્ન ૧૫૬. આ પર્વત ઉપરના દ્રહનું નામ શું છે.? તથા દેવીનું નામ શું છે? ઉત્તર : આ પર્વત ઉપર કેશરી દ્રહ હોય છે. તથા દેવીનું નામ કીર્તિદેવી છે હરિવર્ષક્ષેત્રનુંવર્ણન પ્રશ્ન ૧૫૭.આ ક્ષેત્ર કયાં આવેલું છે? તથા આ ક્ષેત્રને કયું ક્ષેત્ર કહેવાય છે? ઉત્તર : હરિવર્ષ ક્ષેત્ર નિષધ પર્વતની દક્ષિણે આવેલું છે. આ ક્ષેત્રને યુગલિક ક્ષેત્ર કહેવાયછે. પ્રશ્ન ૧૫૮. આ ક્ષેત્ર ઉત્તર-દક્ષિણ તથા પૂર્વ-પશ્વિમ લાંબુ પહોળું કેટલું છે? ઉત્તર : આ ક્ષેત્ર ઉત્તર-દક્ષિણ ૯૮૪૨૧યોજન ૧ કલા(૧૬ ખંડ પ્રમાણ) હોય છે.પૂર્વ- પશ્ચિમ ૭૩૯૦૧યોજન ૧૭ કલા હોય છે. પ્રશ્ન ૧૫૯. આ ક્ષેત્રની મધ્યમાં શું હોય છે? તેનું માપ કેટલું કેટલું હોય છે? ઉત્તર : આ ક્ષેત્રની મધ્યમાં વૃત વૈતાઢય પર્વત હોય છે. તે ૧૦૦૦ યોજન ઉંચો મૂળમાં ૧૦૦૦ યોજન વિસ્તારવાળો, ઉપર ૫૦૦ યોજન વિસ્તારવાળો છે. પ્રશ્ન ૧૬૦. આ પર્વતનું નામ શું છે.?તથા તેની ઉપર શું હોય છે? ઉત્તરઃ આ પર્વતનું નામ ગંધપાતી છે. તેના ઉપર જિનચૈત્ય આવેલું છે. પ્રશ્ન ૧૬૧. આ ક્ષેત્રમાં કયા આરાના ભાવ વર્તતા હોય છે ? આયુષ્ય,અવગાહના,પાંસળી,આહાર કટેલો અને કેટલા દિવસે હોય છે? ઉત્તર ઃ હરિવર્ષ ક્ષેત્રમાં સદાને માટે સુષમા આરાના ભાવ વર્તતા હોય છે. મનુષ્યોનું આયુષ્ય ૨ પલ્યોપમ,શરીર અવગાહના ૨ ગાઉ,બે બે દિવસના આંતરે બોર જેટલો આહારહોય છે.તથા ૧૨૮ પાસળીઓ હોય છે. પ્રશ્ન ૧૬૨. આ ક્ષેત્રમાં જન્મેલા તિથૅ ચોનું આયુષ્ય,અવગાહના પાંસળી,

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260