Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 227
________________ પ્રશ્નોતરી પ્રશ્ન ૧૯૨.આ ક્ષેત્રમાં મુખ્ય નદીઓ કેટલી ? તેનાં નામ ક્યા ક્યા ? ઉત્તર ઃ આ હિમવંતક્ષેત્રમાં મુખ્ય બે નદીઓ આવેલી છે.(૧) રોહિતા નદી અને (૨) રોહિતાંશા નદી. પ્રશ્ન ૧૯૩.આ બે નદીઓ કેટલી કેટલી નદીનાં પરિવારવાળી હોય છે ? ઉત્તર : આ બંને નદીઓ ૨૮૦૦૦ નદીઓના પરિવારવાળી હોય છે. પ્રશ્ન ૧૯૪.કૂટો કેટલાં છે ? તેના ઉપર શું હોય છે ? ઉત્તર ઃ કૂટો નવ હોય છે. એક ફૂટ ઉપર જિનચૈત્ય. બાકીનાં ઉપર પ્રાસાદો આવેલાં છે. બાકીનું વર્ણન હરિવર્ષ ક્ષેત્રની જેમ જાણવું હિરણ્યવંત ક્ષેત્રનું વર્ણન ૨૮ પ્રશ્ન ૧૯૫.આ ક્ષેત્ર ક્યાં આવેલું છે ? તે ક્યા ભાવવાળું હોય છે ? ઉત્તર ઃ આ ક્ષેત્ર રૂફિમ પર્વતની ઉત્તર દિશા બાજુ આવેલું છે તે યુગલિક ભાવવાળું હોય છે. પ્રશ્ન ૧૯૬.આ ક્ષેત્રમાં રહેલો ધૃત વૈતાઢય પર્વત છે તેનું નામ શું છે ? ઉત્તર ઃ હિરણ્યવંત ક્ષેત્રને વિષે રહેલા વૃત વૈતાઢય પર્વતનું નામ વિકતાપાતીછે. પ્રશ્ન ૧૯૭. આ પર્વત ઉપર ફૂટો કેટલાં છે ? તેનાં ઉપર શું હોય છે ? ઉત્તર ઃ વિકતાપાતી પર્વત ઉપર નવ ફૂટો આવેલા છે. તેમાંના એક ફૂટ ઉપર જિનચૈત્ય છે. અને બાકીના કૂટો ઉપર પ્રાસાદો છે. પ્રશ્ન ૧૯૮. આ ક્ષેત્રમાં મુખ્ય નદીઓ કેટલી ?તેના નામો ક્યા ક્યા ? ઉત્તર : આ ક્ષેત્રમાં મુખ્ય બે નદીઓ છે. (૧)સુવર્ણકલા નદી, (૨) રૂપ્યકલા નદી. પ્રશ્ન ૧૯૯.આ ક્ષેત્રમાં રહેલ મનુષ્યનું આયુષ્ય,અવગાહના,આહાર આદિ કેટલો હોય છે. ? ઉત્તર ઃ ચા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોનું આયુષ્ય ૧ પલ્યેાપમ, અવગાહના ૧ ગાઉ, આહાર ૧ દિવસ બાદ આમળાના પ્રમાણ જેટલો હોય છે. પ્રશ્ન ૨૦૦,અપત્યપાલન કેટલા દિવસ હોય છે ? ઉત્તર ઃ અપત્યપાલન ૭૯ દિવસ હોય છે . પ્રશ્ન ૨૦૧.આ ક્ષેત્રમાં ભાવ કેવા વર્તતા હોય છે ?

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260