________________
આગમમાં આ વિષયને આ રીતે બતાવવામાં આવ્યો છે - उज्जुमई अणंते अणंत पएसिए खंधे जाणइ पासइ । तंचेव विउलमई अब्भहियतराए, विउलतराए, विसुद्धतराए, वितिमिरतराए जाणइ-पासइ...।
- નંદીસૂત્ર-૧) અર્થાત્ ઋજુમતિ અનંત-અનંત પ્રદેશિક સ્કંધોને જાણે-ખે છે. એમનો જ વિપુલમતિ અધિક રૂપથી, વિપુલ રૂપથી, વિશુદ્ધ રૂપથી, વિતિમિર રૂપથી જાણે-ખે છે.
અવધિજ્ઞાન અને મન:પર્યચજ્ઞાનનું અંતર અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન બંને જ રૂપી દ્રવ્યોને ગ્રહણ કરે છે તથા બંને વિકલ (અપૂર્ણ) પારમાર્થિક પ્રત્યક્ષના રૂપમાં સમાન હોવા છતાંય આ બંનેમાં વિશુદ્ધિ ક્ષેત્ર, સ્વામી અને વિષયકૃત ભેદ છે - જેમ કે -
(૧) અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યાયજ્ઞાન પોતાના વિષયને વિશેષ સ્પષ્ટ રૂપથી જાણે છે, તેથી તે એનાથી વિશુદ્ધત્તર છે.
(૨) અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોક છે, જયારે મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર માનુષોત્તર પર્વત પર્યન્ત તિર્ધક લોક જ છે.
(૩) અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિવાળા હોઈ શકે છે, પરંતુ મન:પર્યાયજ્ઞાનના સ્વામી ઋદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત મનુષ્ય જ હોય છે.
(૪) અવધિજ્ઞાનના વિષય થોડો પર્યાય સહિત રૂપીદ્રવ્ય છે, પરંતુ મન:પર્યાયજ્ઞાનનો વિષય મનોદ્રવ્ય માત્ર છે.
(૫) અવધિજ્ઞાન પરભવમાં પણ સાથે જઈ શકે છે, જ્યારે મન:પર્યાયજ્ઞાન ઇહભવિક જ હોય છે.
મન:પર્યયજ્ઞાનની પશ્યતા નંદી સૂત્રમાં કહ્યું છે કે - --- __ 'तं समासओ चउव्विहं पण्णत्तं, तं जहा-दव्वओ खित्तओ, कालओ, भावओ। दव्वओ णं उज्जुमई अणंते अणंत पएसिए खंधे जाणइ पासइ ।'
અર્થાતું મન:પર્યયજ્ઞાની દ્રવ્યથી અનંત-અનંત પ્રદેશિક સ્કંધોને જાણે-દેખે છે. મન:પર્યયજ્ઞાન પટુક્ષયોપશમથી થાય છે. તેથી ઉત્પન્ન થતા એ વિશેષને જ ગ્રહણ કરે છે, સામાન્યને નહિ. તેથી એ જ્ઞાનરૂપ જ છે, દર્શનરૂપ નથી. એવું હોવા છતાં આગમમાં “મન:પર્યયજ્ઞાન માટે જુએ છે' એવું કેમ કહેવાયું છે ? આ પ્રશ્ન સહજ રીતે જ સામે આવે છે.
આ પ્રશ્નના સમાધાનમાં અનેક વિચાર ઉપસ્થિત પણ છે. (૧) કેટલાક આચાર્યોન મત છે કે – મન:પર્યયજ્ઞાની જાણે છે, એમને જ મનથી થનારા અચક્ષુદર્શન દ્વારા વિકલ્પિત [મન:પર્યજ્ઞાન
, , , , Y૨૨૩)