Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 487
________________ તે હશે સોનાનો જ. એ થોડા સોનાથી માટીનો કે તાંબાનો મોટો ઘડો નથી બની શકતો. આ રીતે થોડા પુણ્યથી બનનારું શરીર નાનું અને શુભ હોઈ શકે છે. એ થોડા પુણ્યથી હાથીનું મોટું અને અશુભ શરીર કેવી રીતે બની શકે છે ? પુણ્યના પ્રકર્ષથી ઉત્પન્ન અનુત્તર વિમાનવાસી દેવો કે ચક્રવર્તી વગેરેનું શરીર મૂર્ત હોય છે. જે પુણ્યના અપચયથી થાય છે, તે મૂર્ત નથી થઈ શકતો. હાથીનું શરીર મૂર્ત છે, તેથી તે પુણ્યના અપચય માત્રથી નથી થઈ શકતું. જેમ કે કહ્યું છે - देहो नावचकओ पुण्णुवकरिसे व मुत्तिमत्ताओ । होज्ज वसहीणतरओ कहमसुभयरो महल्लो य ? ॥ - વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૩૩ સારાંશ એ છે કે માત્ર પુણ્ય તત્ત્વને માનવાથી દુઃખની બહુલતા સિદ્ધ નથી થઈ શકતી. દુઃખના પ્રકર્ષની અનુભૂતિ માટે એના અનુરૂપ જ પાપ તત્ત્વના પ્રકર્ષને સ્વીકાર કરવો જોઈએ. બીજો વિકલ્પ ઃ બીજો વિકલ્પ છે, પાપ જ તત્ત્વ છે, પુણ્ય નહિ. આ વિકલ્પ પણ યથાર્થ નથી. પુણ્ય તત્ત્વના પ્રકરણમાં પ્રમાણપૂર્વક પુણ્યની સત્તા સિદ્ધ કરવામાં આવી છે. એના વિચાર જે વાત પ્રથમ વિકલ્પના વિષયમાં કહેવામાં આવી છે, તે બધી વિપરીત રીતિથી બીજા વિકલ્પના વિશે પણ સમજ લેવી જોઈએ. જેમ કે સુખ પાપનો અપકર્ષ માત્ર નથી. થોડા (ઓછા) પાપથી થોડું દુઃખ થઈ શકે છે, સુખ નથી થઈ શકતું. થોડું વિષ સ્વાથ્યનું કારણ નથી માનવામાં આવતું. તેથી સુખ ચાહે તે કેટલુંય અલ્પ હોય, પુણ્ય પુનિત છે, પાપ જન્ય નથી. ત્રીજો વિકલ્પ પુણ્ય-પાપ અલગ-અલગ નથી, અપિતુ સમ્મિલિત, અન્યોન્ય અનુવિઢ, સુખ-દુઃખ મિશ્રિત ફળ દેનારા પુણ્ય-પાપ નામનું એક જ તત્ત્વ છે, આ ત્રીજો વિકલ્પ છે. જેમ કે હરિતાલ-ગુલિકા, નર-સિંહ, મેચકમણિ એ મળેલાં એક વસ્તુ રૂપ છે, એ જ રીતે પુણ્ય-પાપ એક પરસ્પર મળેલી વસ્તુ છે. જ્યારે એ પારસ્પરિક મળેલા સ્વરૂપમાં પુણ્યોશની બહુલતા હોય છે તેથી તે પુણ્ય કહેવાય છે અને જ્યારે પાપાંશની અધિકતા હોય છે ત્યારે તે પાપ કહેવાય છે, જેમ કે કહ્યું છે - साहारणवण्णादि व, अह साहारणमहेगमत्ताए । उक्करिसावगरिसओ तस्सेव य पुण्णपावक्ख ॥ - વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૧૧ સમીક્ષા : ઉક્ત તૃતીય પક્ષ યથાર્થ નથી. કારણ કે પુણ્ય અને પાપનાં કાર્ય સુખ અને દુઃખનો એક સાથે અનુભવ નથી થઈ શકતો. એમનાં કાર્ય અલગ-અલગ હોવાથી એમનાં કારણભૂત પુણ્ય અને પાપ પણ અલગ-અલગ જ હોવાં જોઈએ. પુણ્ય-પાપાત્મક મેલજોલવાળું કોઈ કર્મ નથી, કારણ કે કર્મબંધનું કારણ યોગ માનવામાં આવ્યો છે અને યોગ એક સમયમાં કાં તો શુભ જ હોઈ શકે છે કે અશુભ જ. શુભાશુભ મળેલો યોગ નથી હોતો. (૪૦૦) જો કે આજે જન જિણધો]

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538