________________
વાદિદેવ સૂરિએ પ્રમાણનય તત્ત્વના લોકમાં “સ્વ-પર વ્યવસાયિ જ્ઞાન પ્રHTTTP' અર્થાત્ જે જ્ઞાન સ્વ અને પરનો નિશ્ચય કરનાર હોય છે, એ જ પ્રમાણ છે - આ પ્રમાણનું લક્ષણ નિરૂપિત કર્યું છે. આચાર્ય હેમચંદ્રએ પ્રમાણ-મીમાંસા'માં “સખ્યર્થ-નિર્ણય: પ્રમUTY’ અર્થાત્ અર્થના સમ્યક નિર્ણયને પ્રમાણ માન્યું છે. દિગંબર પરંપરાના આચાર્યોએ એ જ્ઞાનને પ્રમાણ માન્યું છે, જે સ્વ અને અપૂર્વ અર્થનો ગ્રાહક હોય. યતિભૂષણએ “ન્યાયદીપિકા'માં સમ્યગૂજ્ઞાનને પ્રમાણ કહ્યું છે. અર્થ એ છે કે જૈનાચાર્યોએ અલગ-અલગ શબ્દાવલી હોવા છતાંય એક જ અભિપ્રાયને વ્યક્ત કરવામાં આવ્યો છે કે સમ્યગુજ્ઞાન જ પ્રમાણ છે. - જ્ઞાન જ પ્રમાણ છે ? તૈયાયિક દર્શને અર્થની પ્રાપ્તિના સાધનને પ્રમાણ માન્યું છે. બીજા શબ્દોમાં પ્રમાણ(જ્ઞાન)ના સાધકતમ કરણને પ્રમાણ કહ્યું છે. આ દર્શન ઇન્દ્રિય અને પદાર્થને સંબંધ રૂપ સન્નિકર્ષને જ્ઞાનમાં સાધકતમ માને છે અને એને પ્રમાણ બતાવે છે. પરંતુ જૈનદર્શન'નું મંતવ્ય છે કે - “જ્ઞાન એક ચેતન ક્રિયા છે, માટે એનું સાધકતમ કરણ પણ જ્ઞાન જ હોઈ શકે છે. સગ્નિકર્ષ પ્રમાણમાં સાધકતમ કરણ નથી હોતું, કારણ કે તે અચેતન છે. જે અચેતન હોય છે તે જ્ઞાનનું સાધકતમ કરણ નથી થઈ શકતું. જેમ કે ઘટાદિ જડ પદાર્થ. સજ્ઞિકર્ષ જડ છે, માટે તે સાધકતમ કરણ અને પ્રમાણ નથી હોતા. સજ્ઞિકર્ષ, જ્ઞાનમાં સહકારી કારણ હોઈ શકે છે, સાધકતમ કરણ નહિ.
જેનદર્શન એ જ જ્ઞાનને પ્રમાણ માને છે જે સ્વયંને પણ જાણે અને સ્વથી ભિન્ન પર પદાર્થોને પણ જાણે. માત્ર જાણે જ નહિ પણ નિશ્ચયાત્મક અને યથાર્થ રૂપમાં જાણે. પ્રમાણની ઉપયોગિતા એ છે કે તે ઉપાદેય-હેય અને ઉપેક્ષણીયને સારી રીતે જાણે.
હેય-ઉપાદેય તથા ઉપેક્ષણીયનો આ વિવેક ત્યારે જ સંભવ છે જ્યારે એને જ્ઞાનરૂપ માનવામાં આવે. જો પ્રમાણને જ્ઞાનરૂપ ન માનીને અજ્ઞાનરૂપ માનવામાં આવે તો એ હેયઉપાદેયનો સમ્યક્ વિવેક નહિ કરી શકે અને એ સ્થિતિમાં પ્રમાણની કોઈ સાર્થકતા કે ઉપયોગિતા નહિ રહે. પ્રમાણની સાર્થકતા કે ઉપયોગિતા ત્યારે જ છે, જ્યારે તે હેયઉપાદેયનો વિવેક અને સ્વ-પરનું સમ્યક્ પરિજ્ઞાન કરી શકે. સન્નિકર્ષ જડરૂપ હોવાથી સ્વ-પરનો નિશ્ચય નથી કરી શકતા, તેથી તે પ્રમાણ નથી. જેમ ઘટ જડ હોવાથી એ નથી જાણી શકાતું કે હું કોણ છું અને આ પદાર્થ શું છે. એમ જ સન્નિકર્ષ પણ પદાર્થ સ્વરૂપને જાણવામાં અક્ષમ છે, કારણ કે તે જડ રૂપ છે. ન્યાયદર્શનની જેમ વૈશેષિક પણ સજ્ઞિકર્ષને પ્રમાણ માને છે, પરંતુ જૈનદર્શને સ્પષ્ટ રૂપથી સન્નિકર્ષની પ્રમાણતાનું ખંડન કર્યું છે તથા સ્પષ્ટ પ્રતિપાદિત કર્યું છે કે જ્ઞાન જ પ્રમાણ હોઈ શકે છે.
વ્યવસાય સ્વભાવ : જૈનદર્શન સંમત પ્રમાણના લક્ષણમાં કહ્યું છે કે - “જે જ્ઞાન વ્યવસાયાત્મક અર્થાત્ નિશ્ચયાત્મક હોય છે એ જ પ્રમાણ છે.” બૌદ્ધદર્શને નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ માન્યું છે. નિર્વિકલ્પક જ્ઞાન એ છે, જેમાં પદાર્થની સત્તા માત્રનો બોધ થાય છે, એના નામ, જાતિ વગેરે વિશેષનું જ્ઞાન નથી થતું. જૈનદર્શન આ નિર્વિકલ્પ જ્ઞાનની પ્રમાણતાને સ્વીકારતું નથી. એની દૃષ્ટિમાં એ જ જ્ઞાન પ્રમાણ છે, જે પદાર્થના સ્વરૂપનું
પ્રમાણ : સ્વરૂપ તથા વ્યાખ્યા
૨૩૦ .