________________
મન શરીરની અંદર સર્વત્ર રહે છે. (દિગંબર, પરંપરાના અનુસાર દ્રવ્ય મનનું સ્થાન સંપૂર્ણ શરીર નથી માત્ર હૃદય છે. આઠ પાંખડીઓવાળા હતા કમળમાં મનનો નિવાસ છે.) કોઈ વિશિષ્ટ સ્થાનમાં નહિ, કારણ કે શરીરનાં ભિન્ન ભિન્ન સ્થાનોમાં સ્થિત ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલ બધા વિષયોમાં મનની ગતિ છે, જે તેને દેહવ્યાપી માન્યા વગર સંભવ નથી. તેથી કહેવાય છે કે - “યત્ર પવન તંત્ર મનઃ' - શરીરમાં જ્યાં વાયુ છે ત્યાં મન છે.
પાંચ સ્થાવર જીવોમાં એક ઇન્દ્રિય છે - સ્પર્શેન્દ્રિય. કૃમિ વગેરેની બે ઇન્દ્રિયો છે - સ્પર્શન અને રસના પિપીલિકા (કીડી) વગેરે ત્રણ ઇન્દ્રિયો છે - સ્પર્શન, રસન અને ઘાણ. ભમરા આદિને ચાર ઇન્દ્રિયો છે - સ્પર્શન, રસન, ઘાણ અને ચક્ષુ. મનુષ્ય અને પશુ આદિને પાંચ ઇન્દ્રિયો છે. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત.
ઇન્દ્રિયોના આધાર પર સંસારી જીવોના પાંચ ભેદ હોય છે. એકેન્દ્રિય જાતિ-જેને સ્પર્શનેન્દ્રિયો જ હોય. તીન્દ્રિય જાતિ - જેને સ્પર્શન અને રસન આ બે જ ઇન્દ્રિયો હોય છે. ત્રિન્દ્રિય જાતિ - જેને સ્પર્શન, રસન અને ઘાણ આ ત્રણ ઇન્દ્રિયો હોય. ચતુરિન્દ્રિય જાતિ - જેને સ્પર્શન, રસન, ઘાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો હોય. પંચેન્દ્રિય જાતિ-જેને સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત આ પાંચ ઇન્દ્રિયો હોય. અહીં “જાતિ” શબ્દ સમૂહનો વાચક છે. જેનો અર્થ છે કે સમસ્ત સંસારી જીવ પાંચ વિભાગોમાં વિભક્ત છે. આ પાંચ ભેદોથી બહાર સંસારનો કોઈ પણ જીવ બચી શકતો નથી. આ પ્રકાર પાંચ ઇન્દ્રિયોની અપેક્ષાથી જીવનું પંચવિધત્વ બતાવ્યું છે. ષવિધ જીવઃ
કાયની અપેક્ષાથી સંસારી જીવના છ ભેદ છે - પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. કાયનો અર્થ છે - સમૂહ અથવા શરીર. તે અનુસાર પૃથ્વી છે શરીર. જેનું જીવ પૃથ્વીકાય છે. જળ છે શરીર જેનું, તે જીવ અપૂકાય છે. તેજસ (અગ્નિ) છે શરીર જેનું, તે જીવ તેજસ્કાય છે. વાયુ છે શરીર જેનું, તે જીવ વાયુકાય છે. વનસ્પતિ છે શરીર જેનું, તે જીવ વનસ્પતિકાય છે. આ પ્રારંભના પાંચ કાય સ્થાવર નામ કર્મના ઉદયવાળા છે. ઉદ્દેશપૂર્વક ગમનાગમન કરી શકનાર જીવ ત્રસકાય છે. દ્વિીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવ ત્રસકાયના અંતર્ગત આવે છે. પાંચ સ્થાવરોમાં જીવત્વની સિદ્ધિ અને તેના ભેદ-પ્રભેદ આદિ આગળ બતાવાશે. ચતુર્દશવિધ જીવ :
કોઈ અપેક્ષાથી જીવના ચૌદ ભેદ હોય છે. જેમ એકેન્દ્રિયના ચાર ભેદ - (૧) સૂક્ષ્મઅપર્યાપ્ત, (૨) સૂક્ષ્મ-પર્યાપ્ત, (૩) બાદર-અપર્યાપ્ત અને (૪) બાદર પર્યાપ્ત. દ્વિીન્દ્રિયના બે ભેદ છે - અપર્યાપ્ત અને પર્યાપ્ત. ત્રીન્દ્રિયના બે ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત ચતુરિન્દ્રિયના બે ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત. પંચેન્દ્રિયના ચાર ભેદ – સંજ્ઞી અપર્યાપ્ત, સંશી પર્યાપ્ત, અસંશી અપર્યાપ્ત અને અસંશી પર્યાપ્ત.
ઉક્ત રીતિથી જીવના ૧૪ ભેદ હોય છે. (૩૧૪) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0X જિણધો )