________________
આયુ પૂર્ણ થઈ જાય છે. કરોડ પૂર્વનો સમય વ્યતીત થવાથી કલ્પવૃક્ષોની ઉત્પત્તિ થવા લાગે છે. એમાં મનુષ્યો અને તિર્યંચોની ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. અસિ, મણિ, કૃષિ વગેરે ધંધા બંધ થઈ જાય છે. યુગલ ઉત્પન્ન થવા લાગે છે. બાદર અગ્નિકાય અને ધર્મના વિચ્છેદ થઈ જાય છે, આ રીતે આ આરામાં બધા મનુષ્ય અકર્મભૂમિક બની જાય છે. વર્ણ વગેરેની શુભ પર્યાયોમાં અનંત ગણી વૃદ્ધિ થાય છે.
(૫) સુષમ :ઉક્ત ચોથા આરા પછી ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમનો પાંચમો આરો લાગે છે, એનું નામ સુષમ છે, એનું વર્ણન અવસર્પિણી કાળના બીજા આરાની સમાન સમજવું જોઈએ. વર્ણ વગેરે શુભ પર્યાયોમાં અનંત ગણી ક્રમશઃ વૃદ્ધિ થતી જાય છે.
(૬) સુષમ-સુષમ : સુષમ આરા પછી ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો છઠ્ઠો આરો લાગે છે. આનું નામ સુષમ-સુષમ છે. આનું વર્ણન અવસર્પિણી કાળના પ્રથમ આરાની સમાન સમજવું જોઈએ. વર્ણ વગેરેની શુભ પર્યાયોમાં ક્રમશઃ અનંત ગણી વૃદ્ધિ થાય છે. આ રીતે દસ ક્રોડાક્રોડી સાગરોપમનો અવસર્પિણી કાળ અને દસ ક્રોડાકોડી સાગરોપમનો ઉત્સર્પિણી કાળ થાય છે. બંને મળીને વીસ ક્રોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થાય છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં આ કાળચક્ર અનાદિ કાળથી ફરી રહ્યું છે અને અનંત કાળ સુધી ફરતું રહેશે. કાળચક્રને સુગમતાથી સમજવા માટે સંલગ્ન કોઇક જુઓ.
પલ્યોપમ વગેરેનું સ્વરૂપ
પૂર્વોક્ત સ્થિતિ અને આરક પ્રકરણમાં પલ્યોપમ અને સાગરોપમનું કથન આવે છે. તેથી તેમના સ્વરૂપને સમજવું જરૂરી છે. શાસ્ત્રકારે પલ્યોપમ સાગરોપમની ઉપમા દ્વારા સમજાવ્યું છે, તેથી તેને ઉપમેય કહેવામાં આવે છે.
પલ્યોપમ : કાળનો સૌથી નાનો નિરંશ અંશ પરમાણુ કહેવામાં આવે છે. તે અતીન્દ્રિય હોય છે. (૧) આ પ્રકારના અનંત સૂક્ષ્મ પરમાણુથી એક વ્યવહાર પરમાણુ બને છે. (૨) અનંત વ્યવહાર પરમાણુઓથી એક ઉષ્ણ સ્નિગ્ધ પરમાણુ થાય છે. (૩) અનંત ઉષ્ણ-સ્નિગ્ધ પરમાણુઓથી એક શીત સ્નિગ્ધ પરમાણુ થાય છે. (૪) આઠ શીત-સ્નિગ્ધ પરમાણુથી એક ઊર્ધ્વ રેણુ થાય છે. (૫) આઠ ઊર્ધ્વ રેણુથી એક ત્રસ રેણ થાય છે. (૬) આઠ ત્રસરેણુથી એક રથરેણુ થાય છે. (૭) આઠ રથરેણુથી દેવકુ ઉત્તરકુરુના મનુષ્યોનો એક બાલાગ્ર થાય છે. [ ઉત્સર્પિણી કાળ 0 9 :00 0 0 0 0 0 0 0 ૩૯૫