Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 83
________________ ૧૪) પૂર્વજન્મમાં લોકોના પગો ક્રૂરતાથી કાપી નાંખ્યા તો આ ભવમાં તેના પગ ચોંટી ગયા એ વિદેશી બહેને આંસૂ સાથે પ્રાયશ્ચિત કરતાં અપૂર્વ સુધારો થયો. આ રીતે તમામ એંગલોથી “આત્મા છે અને પુનર્જન્મ પણ છે.” આ વાત સાબિત થઈ જાય છે. ૩૬ તારક તત્ત્વજ્ઞાન વિશ્વની રચના ૬ દ્રવ્યોથી થયેલી છે. • ધર્માસ્તિકાયઃ ગતિમાં સહાય કરે છે. ઉદા. જેમ માછલીને તરવામાં પાણી સહાય કરે તેમાં આધુનિક વિજ્ઞાન આ દ્રવ્યને “ઈથર” ના નામથી સ્વીકાર કરે છે. અધર્માસ્તિકાયઃ જીવ કે જડને સ્થિર થવામાં આ દ્રવ્ય સહાય કરે છે. જેમ ઘરડા માણસને ઊભા રહેવામાં લાકડી ટેકારૂપ બને છે, સ્થિર થવામાં સહાય કરે છે તેમાં આકાશાસ્તિકાયઃ જીવ અને જડને રહેવા માટે જે જગ્યા આપે, આના બે ભેદ છે. લોકાકાશ અને અલોકાકાશ ચૌદ રાજલોની અંદર રહેલા આકાશને લોકાકાશ કહેવાય છે. એની બહાર અલોકાકાશ હોય છે. પુદ્ગલાસ્તિકાયઃ પુરણ અને ગલન જેમાં થાય એ પુદ્ગલ! રૂપ, રસ, ગંધ, સ્પર્શથી યુક્ત જે જે વસ્તુ દેખાય એ તમામ પુદ્ગલાસ્તિકાયના જ રૂપ છે. શબ્દો પણ પુદ્ગલ છે. માટે જ એનું રેકોર્ડીંગ થઈ શકે છે. સી. ડી. કેસેટ વગેરે બને છે. અન્ય તમામ દર્શનકારો શબ્દને આકાશનો ગુણ માનતા હતા“શબ્દગુણકમાકાશમ્! માત્ર જૈન દર્શને જ છાતી ઠોકીને જાહેર કર્યું“અકાદિઃ પીદ્ગલિકો વર્ણ” શબ્દ પુદ્ગલ છે. શબ્દની જેમ અંધકાર, ઉદ્યોત, પ્રભા, આતપ, છાયાદિ પણ પુદ્ગલો જ છે. • જીવાસ્તિકાય ચેતના એટલે જ્ઞાન જેમાં હોય તે આત્મા આ પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. અસ્તિ=પ્રદેશ, કાય=સમૂહ. પ્રદેશોના ગુડનાઈટ. ૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98