________________
અનુમોદના-પ્રશંસા વિચારી
૧૫૫
त्रिविधाया सिद्धान्ते प्रतिपादनात्, मानसव्यापारस्यैवानुमोदनात्वे प्रशंसादिसंवलनादनुमोदनाफल विशेषानुपपत्तेश्च । न च यथा नैयायिकैकदेशिनां मङ्गलत्वादिकं मानसत्वव्याप्या जातिस्तथाऽस्माकमनुमोदनात्वमपि तथा, इति त्रयाणामपि योगानां हर्णमलो व्यापारोऽनुमोदनेति वस्तुस्थितिः, यश्चानुमोदनाव्यपदेशः क्वचिच्चित्तोत्साहे एव प्रवर्त्तते स सामान्यवाचकपदस्य विशेषपरत्वात् , निश्चयाश्रयणाद्वेत्यवधेयम् ॥३३॥ एवं सति योऽनुमोदनाप्रशंसयोर्विषयभेदेन भेदमेवाभ्युपगच्छति तन्मतनिरासार्थमाह -
सामनविसेसत्ता भेओ अणुमोअणापसंसाणं ।
___जह पुढवीदव्याणं ण पुढो विसयस्स भेएणं ॥३४॥ [सामान्यविशेषत्वाद् भेदोऽनुमोदनाप्रशंसयोः। यथा पृथिवीद्रव्ययोर्न पृथग् विषयस्य भेदेन ।।३४।।]
રોમાંચ ખડા થઈ જવા–પ્રશંસાનાં પુષ્પો વેરાવા-મનમાં એનું જ પ્રણિધાન રહેવું વગેરે રૂપ યાપારાત્મક છે નહિ કે માત્ર મનના વ્યાપાર રૂ૫. કેમકે જેમ કરણ–કરાવણના મનથી-વચનથી અને કાયાથી એમ ત્રણ ત્રણ ભેદ શાસ્ત્રમાં કહ્યા છે તેમ અનુમોદનાના પણ તેવા ત્રણ ભેદો કહ્યા જ છે. વળી માત્ર મનને વ્યાપાર જ જે અનુમોદના હોય તો તેમાં પ્રશંસા વગેરે ભળવાને કારણે અનુમોદના માત્રનું વિશેષ ફળ અસંગત થઈ જવાની આપત્તિ પણ આવે તાત્પર્ય, માનસવ્યાપારરૂપ અનુમોદનાની સાથે બે સારા શબ્દો નીકળી જાય-રોમાંચ ખડા થઈ જાય તે પ્રશંસા વગેરે પણ ભળી ગએલા ગણાય. અને તેથી જે ફળ મળે તેને માત્ર અનુસાદનાનું ફળ કહેવું અસંગત બની જાય. વળી કેટલાક નેયાયિકે એ જેમ મંગલત્વ વગેરેને માનસત્વવ્યાપ્ય જાતિ અર્થાત જ્યાં જ્યાં મંગલત્વ હોય ત્યાં ત્યાં માનસવ્યાપારત્વ હોય જ) માની છે તેમ આપણે કાંઈ અનુમોદનાત્વને તેવી જાતિ માની નથી. તેથી ત્રણે રોગનો હર્ષમૂલક વ્યાપાર અનુમોદના છે એ હકીકત છે. તેમ છતાં ક્યાંક ક્યાંક ચિત્તના ઉત્સાહ પારણામને જ જણાવવા જે “અનુમોદના” શબ્દ વપરાય છે તેને “ સામાન્ય વાચકપદને વિશેષપરક' સમજીને કે “નિશ્ચયનયન ત્યાં આશ્રય કરાયો છે' એમ સમજીને સમન્વય કરી દેવો. અર્થાત્ બનમેદના સામાન્યરૂપ છે અને પ્રશંસા વગેરે એના વિશેષભેદ છે એ આગળ અમે બતાવવાના છીએ. માટે “અનુમોદના” શબ્દનો ક્યાંક થયેલે તે પ્રગ અનુમોદનારૂપ સામાન્ય વસ્તુનો ઉલ્લેખ કરવા નહિ પણ તેના પ્રશંસાથી ભિન્ન એવા ભેદવિશેષ ઉલ્લેખ કરવા થયે છે એમ સજવું એવા તે કાયિક કે વાચક અનુમોદના વખતે પણ મુખ્ય તે ચિત્તના ઉત્સાહરૂપ માનસિક અનુમોદના જ હોય છે જે ભાવંરૂપ હોઈ નિશ્ચયના વિષયભૂત છે. તેથી તે ચિત્તોત્સાહમાત્રને જ જણાવનાર તે શબ્દપ્રયોગ નિશ્ચયનયને આશ્રીને થયે છે એમ સમજવું. ૩૩||
હકીકત આવી છે. તેથી જેઓ “અનુમોદના અને પ્રશંસાનો વિષય જુદે જુદો હોવાથી તે બે જુદા જ છે” એવું માને છે તેઓની એ માન્યતાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થ:- અનુમોદના અને પ્રશંસાને સામાન્યત્વ અને વિશેષત્વના કારણે ભેદ છે. જેમકે પૃથ્વી અને દ્રવ્યને પણ તે બેના વિષય જુદા જુદા છે માટે તે બેનો ભેદ છે એવું નથી.