Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 335
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ [ નિયમસાર પ્રવચન આનો વિસ્તાર ઉપર આવી ગયો છે. આ તો, જેમ અહીં નિયમસારમાં કહ્યું છે તેમ આ પંચાસ્તિકાયમાં પણ સ્વયં આચાર્ય કુંદકુંદદેવે કહ્યું છે એમ એનું સમર્થન કર્યું. “વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે – [શ્લોકાર્ચ- ] સ્કૂલપૂલ, પછી સ્થૂલ ત્યારપછી સ્કૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મણૂલ, પછી સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (આમ સ્કંધો છ પ્રકારના છે ).” આમાં પણ છે સ્કંધોનાં નામ છે. હવે કહે છે - એવી રીતે (આચાર્યદવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે – આ સમયસારનો કળશ છે. જુઓ, શું કહે છે? કે-“આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન્ પુદ્ગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ...” અહાહા...ભગવાન આત્મા તો અંદર જ્ઞાનાનંદ-સહજાનંદની મૂર્તિ પ્રભુ છે. જ્યારે આ શરીરાદિક છે, ને કર્મના નિમિત્તે થતા પુણ્ય-પાપના વિકલ્પ છે એ બધું પુદ્ગલનું નાટક છે; ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્માનું નહિ. અહાહા...ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાન ને આનંદનો ઘનપિંડ પ્રભુ છે; અને એની દષ્ટિ થવી તે ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન છે. પણ એના ભાન વિના એને જે આ બધા સંયોગ આવે ને જાય એ બધું પુગલનું નાટક છે. હવે આવું ઝીણું બાપુ! સમજાય છે કાંઈ? અહા! આ બધા પુદ્ગલના ભેદોનું વર્ણન ચાલે છે ને? તો, તન, મન, વચન, કર્મ, મહેલ ને મકાન ઇત્યાદિ અવિવેકનું નાટક છે. અથવા તે નાચમાં પુદ્ગલ જ નાચે છે. અહાહા...! આ હાલે, ચાલે, બોલે, ખાય, પીવે ઇત્યાદિ ક્રિયાઓ જડ પુદ્ગલની છે. અહા ! એ બધી ક્રિયા કાંઈ આત્મા કરે નહિ. શું કીધું? આ ખાય-પીવે ને બોલે એ કાંઈ આત્મા નહિ. ભારે વાત ભાઈ ! આત્મા તો ધ્રુવ અખંડ ચિદાનંદકંદ પ્રભ છે. તે કાંઈ રાગમાં ને શરીરની ક્રિયામાં આવતો નથી. અહા ! આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો વિકલ્પ ઊઠે છે તેમાં કાંઈ આત્મા આવતો નથી; કેમકે એ વિકલ્પ જડ અનાત્મા છે. એ બધું અવિવેકનું-અનાત્માનું નાટક છે. અહા! આ અનાદિના મોટા અવિવેકના નાટકમાં વર્ણાદિમાન્ પુદ્ગલ જ પરિણમે છે, અન્ય કોઈ નહિ, અર્થાત્ આત્મા નહિ. અહા ! આત્મા કોને કહીએ? અહાહા ! જ્ઞાનાનંદની મૂર્તિ અભેદ એક જ્ઞાન ને આનંદનો ઘન પિંડ પ્રભુ આત્મા છે. તેમાં પરનો કે રાગાદિ વિકારનો પ્રવેશ જ નથી. અહા ! આવા નિજસ્વરૂપની અંતરદષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે, અને એ ધર્મનો પહેલો પાયો છે. એ સિવાય બાપુ ! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ બધું જ પુદ્ગલનું-અજીવનું નાટક છે. અને આ નાટકમાં, કહે છે, પુદ્ગલ જ નાચે છે. એ ભગવાન આત્માનો નાચ નહિ પ્રભુ! અહા! અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારે થયેલું દેખાય છે, કેમકે શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમહાપ્રભુ તો અનેક પ્રકારનો છે જ નહિ. સમજાય છે કાંઈ..? જુઓ, શું કહે છે? કે-“અને આ જીવ તો રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ...' જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ શરીર, મન, વાણી ઇત્યાદિ સ્કંધો ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408