Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 402
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૪] ૩૮૭ શ્લોક ૫૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: એ રીતે જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી...” દેખો, વીતરાગ સર્વજ્ઞના જિનમાર્ગરૂપી–વીતરાગમાર્ગરૂપી રત્નાકરમાંથી... એટલે કે એ (જિનમાર્ગ) મોટો દરિયો છે એમ કહે છે. અહા! “જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી.” એટલે કે જિનમાર્ગભગવાનનો માર્ગ-એ મોટો દરિયો છે. ને તેમાંથી “પૂર્વાચાર્યોએ પ્રીતિપૂર્વક.' જુઓ, પાછું એમ કહે છે કે- “પ્રીતિપૂર્વક...” આ બધા શ્રી કુંદકુંદાચાર્ય આદિ જે પૂર્વાચાર્યો થઈ ગયા છે તેમણે પ્રીતિપૂર્વક અર્થાત્ પ્રસન્નચિત્તથી “પદ્રવ્યરૂપી રત્નોની માળા...' લ્યો, નિયમસારમાં આવું તો સ્પષ્ટ કહ્યું છે કે પૂર્વાચાર્યોએ છ દ્રવ્યો છે એમ કહ્યું છે અરે ? આવું નિયમસાર શ્રીમદ્ રાજચંદ્રના હાથમાં નહોતું આવ્યું ! તો, કહે છે-“એ રીતે જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી પૂર્વાચાર્યોએ પ્રીતિપૂર્વક પદ્રવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે.' એટલે શું? કે પૂર્વાચાર્યોએ જે પદ્રવ્યો કહ્યાં છે તેનું યથાતથ્ય જ્ઞાન થવું તે શોભા છે, આભરણ છે. ભવ્યોને છ દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન થાય તે જ્ઞાનની પર્યાયની શોભા છે. માટે છ દ્રવ્યનું જ્ઞાન થવું તે ભવ્યજીવોના કંઠનું આભરણ-શોભા છે એમ કહ્યું છે. લ્યો, આ જ્ઞાનરૂપી આભરણ! અને તેને માટે અહીં આ છે દ્રવ્યની વાત કરી છે. -એ ગાથા પૂરી થઈ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408