Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 393
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮ નિયમસાર પ્રવચન પ્રદેશમાત્ર પુદગલ-પરમાણુ આકાશદ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય...' જુઓ, પાછી એ વાત આવી. પણ પ્રવચનસારની શૈલીમાં આવી. પહેલાં (ગા. ૩૧માં) “આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે.”—એમ હતું. જ્યારે અહીંયાં “પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશદ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે છે.'—એમ છે. આમાં (આ પ્રવચનસારની ગાથામાં) પણ “સમય” શબ્દથી મુખ્યકાલાણુનું સ્વરૂપ કહ્યું છે.' “વળી અન્યત્ર (આચાર્યવર શ્રીનેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં રરમી ગાથા દ્વારા) કહ્યું છે કે: લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણુ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિતિ છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.” અહા! આ કાલાણુ સ્વતંત્ર વસ્તુ છે. ( અર્થાત્ કાળદ્રવ્ય છે.) “વળી માર્ગપ્રકાશમાં પણ (શ્લોક દ્વારા) કહ્યું છે કેકાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય.' અહા! કાળદ્રવ્ય સિદ્ધ કરવું છે ને? નિમિત્તપણે કાળદ્રવ્ય સિદ્ધ કરવું છે તેથી આમ કહ્યું છે હો. બાકી કાળના અભાવમાં, દ્રવ્યનું જે પરિણમન છે તે પરિણમન ન હોય.-શું એવું છે? પ્રશ્નઃ પણ શાસ્ત્રમાં આવે છે કે જે કાળદ્રવ્ય ન હોય તો પરિણમન ન હોય. માટે, કાળને લઈને જ પરિણમન છે ને ? સમાધાન: ભાઈ ! શું કોઈ દ્રવ્ય કોઈ સમયે પર્યાય વિનાનું હોય છે કે જેથી કાળદ્રવ્યને લઈને તેનું પરિણમન હોય? અહીં તો કાળદ્રવ્યના નિમિત્તપણાની સિદ્ધિ કરવી છે કે દરેક દ્રવ્યના પરિણમનમાં એક કાળ નામનું દ્રવ્ય નિમિત્ત હોય છે, અને તેથી એમ કહ્યું છે કે કાળના અભાવમાં પદાર્થનું પરિણમન ન હોય. બસ, આટલી વાત છે. પણ શું થાય? અરે! ક્યા નયનું કથન છે, ને અજ્ઞાની શું કરે છે? (કેવું માને છે?) ભાઈ, અજ્ઞાની સાથે વાંધા જ આ ઉઠયા છે ને? પ્રશ્ન: પણ શાસ્ત્રમાં લખ્યું હોય તે બધું સાચું. સમાધાનઃ પરંતુ શાસ્ત્રમાં કયા નયનું કથન છે તે જાણવું જોઈએ ને? તે જાણે નહીં એટલે બધો ગોટો ઉઠ છે. તો, કહે છે-“કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય....' ભાઈ, જો પદાર્થનું પરિણમન ન હોય તો પદાર્થ જ ન હોય, અને પર્યાય પણ ન હોય. એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો ) પ્રસંગ આવે.' આ તો કાળને સિદ્ધ કરે છે કે કાળ નામનો પદાર્થ છે, અને તે સર્વ દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત છે, બસ. ભાઈ, “કાળ નામનો પદાર્થ જેણે ઉડાડ્યો છે તેને સ્વકાળનો અનુભવ નથી” –આમ ઘણા વર્ષ પહેલાં, લગભગ સંવત ૧૯૮૯માં, એકવાર કહ્યું હતું. નારણભાઈ સાથે અંદર ચર્ચા ચાલતી હોય ને? તો ત્યારે એકવાર કહ્યું “તું કે કાલાણુ-કાળદ્રવ્યને જેણે નથી માન્યું તેનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408