Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 370
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૮] ૩૫૫ ગાથા - ૨૮ अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ। खंधसरूवेण पुणो परिणामो सो विहावपज्जाओ।। २८ ।। પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮. અન્વયાર્થઃ- [ સન્મનિરપેક્ષ: ] અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) [૫: પરિણામ: ] જે પરિણામ [સ:] તે [ સ્વભાવપર્યાય:] સ્વભાવપર્યાય છે [પુન: ] અને [ ધસ્વરૂપે પરિVITI:] સ્કંધરૂપે પરિણામ [ સ: ] તે [ વિમવિપર્યાય:] વિભાવપર્યાય છે. ટીકાઃ- આ, પુદ્ગલપર્યાયના સ્વરૂપનું કથન છે. પરમાણુપર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છે-કે જે પરમપરિણામિકભાવસ્વરૂપ છે, વસ્તુમાં થતી છે પ્રકારની હાનિવૃદ્ધિરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયાત્મક છે અને સાદિ-સાન્ત હોવા છતાં પારદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધ ભૂતવ્યવહારનયાત્મક છે અથવા એક સમયમાં પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવાથી સૂક્ષ્મઋજુસૂત્રનયાત્મક છે. સ્કંધપર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે. [હવે ટીકાકાર મુનિરાજ ૨૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહે છેઃ] (માલિની) परपरिणतिदूरे शुद्धपर्यायरूपे सति न च परमाणोः स्कन्धपर्यायशब्दः। भगवति जिननाथे पंचवाणस्य वार्ता न च भवति यथेयं सोऽपि नित्यं तथैव ।। ४२ ।। [શ્લોકાર્ચ- ] (પરમાણુ) પર પરિણતિથી દૂર શુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને સ્કંધપર્યાયરૂપ શબ્દ હોતો નથી; જેમ ભગવાન જિનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી, તેમ પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે (અર્થાત્ પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી). ૪ર. ગાથા ૨૮ ટીકા ઉપરનું પ્રવચનઃ આ પરમાણુની વ્યાખ્યા છે. તેમાં જડ પરમાણુનું સ્વતંત્રપણું બતાવે છે કે એ પરમાણુ તારે (જીવન) લઈને છે એમ નહીં, પરંતુ પરમાણુ પોતાના ગુણ-પર્યાયને લઈને છે. તેમ જ તું પણ તેને લઈને નથી, પરંતુ તું તારા ગુણ-પર્યાયને લઈને રહે છે. તો, એની આ ટીકા છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408