________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯
૭૩ પ્રવચન નં. ૪૮
તા. ૨૪-૭- '૭૭ વિષય ઝીણો છે તેથી આ કળશ ફરીને લઈએ. વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છેતેને સમજવા મહાપુરુષાર્થ જોઈએ. અનંતકાળથી તેણે પ્રગટ કર્યો નથી. તે અહીં કહે છે.
દિ રૂટું વળffસામર્થન વચ પુચ નિર્માણન વિષ્ણુ” (હિ) નિશ્ચયથી (રૂદ્ર) વિદ્યમાન ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય એકલા પુગલદ્રવ્યનું કાર્ય છે. અર્થાત્ પુદ્ગલદ્રવ્યના ચિતરામણ જેવા છે, એમ હે જીવો! નિઃસંદેહુ જાણો.”
“દિ' એટલે નિશ્ચયથી વિદ્યમાન છે જે ગુણસ્થાન-માર્ગણાસ્થાનના ભેદો તે બધી પુદ્ગલની રચના છે-આત્માની નહીં. આ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, મન, વાણી એ તો બધા જડ છે-અજીવ છે. પરંતુ આત્મામાં થતાં પુણ્ય-પાપના ભાવ તે પુદ્ગલથી રચાયેલ છે, તે આત્માથી નહીં. વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે.
પરમાત્મા એમ ફરમાવે છે કે- ભાઈ ! તું કોણ છો? કેવડો છો? કયાં છો? તેની તને દૃષ્ટિ નથી અને આ બધા જે ભેદો દેખાય છે પુણ્ય-પાપના અને તેના ફળ તરીકે બહારમાં આ પૈસા ધૂળ આદિ દેખાય છે. તેને મારા માનવા તે મિથ્યાત્વ છે. તે તદ્દન અસત્ય, પાખંડ અને જૂઠી દૃષ્ટિ છે.
(૧) “દ્રવ્યકર્મ” એટલે જડકર્મ. આકર્મ છે તે માટી-અજીવ જડ છે. (૨) ભાવકર્મ' એટલે શુભાશુભ ભાવો તે પણ પુદ્ગલની રચના છે. ભગવાન આત્મા તો આનંદસ્વરૂપી છે, સર્વજ્ઞસ્વરૂપી છે. તેની રચના જ્ઞાન અને આનંદથી થાય છે. અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનની રચના તે આત્માનું કાર્ય છે. બહુ ઝીણું; આખી દુનિયા તો દયા, દાન, વ્રત, તપ કરવા તેને ધર્મ માને છે. અહીંયા પરમાત્મા એમ કહે છે-પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકારના જે ભાવ છે તે અજીવ છે એટલે જીવ નહીં. કેમકે તે જીવ હોય તો આત્મામાંથી નીકળી ન જાય. પુષ્ય-પાપના ભાવ નીકળી જાય છે માટે જીવ નહીં અજીવ છે. (૩) નોકર્મ એટલે શરીર, મન, વાણી, તે બધા જડ પુગલ પરમાણું અજીવથી નીપજેલા છે. સમજાણું કાંઈ?
વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે જે વાત ફરમાવતા હતા તે આ વાત છે. તારામાં થતાં જે શુભાશુભભાવો તે અજીવ એવા પુદ્ગલ જડકર્મ છે, તે તેના સંગે ઉત્પન્ન થયેલા છે તેથી એ પુદ્ગલ છે. પ્રભુ! ચૈતન્ય સ્વરૂપ જે જ્ઞાનઘન છે તેનાં સંગે ઉત્પન્ન થયેલા આ ભાવો નથી.
જિનેશ્વર પરમેશ્વર જેને જીવ કહે છે-તે ભગવાન અંદર ચૈતન્ય વસ્તુ છે તે કેવો છે એ વાત કહે છે. જેમ ભીંત ઉપર ચિતરામણ કરે છે તેથી તે કાંઈ ભીંત નથી. તેમ ભગવાન આત્મા, જ્ઞાનનો પુંજ, ચૈતન્યઘન, આનંદકંદ છે. જ્યારે આ શુભાશુભભાવો તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk