Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૪૮ પરમાણુ સિવાયના પુદ્ગલ (ક) ના પ્રદેશ સંખ્યાતા. અસંખ્યાતા, અને અનંતા હોય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આખા લેકમાં (કાકાશ પ્રમાણ) છે. અને આકાશ લેકમાં તેમજ એલેકમાં પણ છે. સૂર્યચંદ્રાદિકની ગતિક્રિયા વડે થયેલ સમય, આવળી, મુહુર્તાદિક કાળ મનુષ્યલેકમાં પ્રવર્તે છે કેમકે તેથી આગળ સૂર્ય ચંદ્રાદિક સ્થિર-નિશ્ચળ છે). પુદ્ગલ+ અને છ સમસ્ત કાકાશમાં વતે છે. પુદગલ એકાદિ (કાકાશ) પ્રદેશોને અવગાહી રહે છે અને જીવ લોકાકાશના અસંખ્યાતમા ભાગાદિકને અવગાહીને રહે છે. એ સર્વ ધર્માસ્તિકાયાદિક પચે અજીવના ભેદ ચંદ થાય છે, તે આ રીતે-ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના ૧ દ્રવ્ય, ૨ દેશ અને ૩ પ્રદેશની કલ્પનાવડે ત્રણ ત્રણ ભેદ ગણ ૧ આ લોકમાં અનંતા પુદ્ગલની ચાર રાશિ છે. ન છૂટા પરમાણુઓની, ૨-૩-૪ સંખ્યાત-અસંખ્યાત અને અનંતા પરમાણુવાળા ઔધોની એક એક રાશિ છે. (ટીકા ઉપરથી) ૨ ઉક્ત કથનવડે વ્યવહારિક કાળાવગાહ શાસ્ત્રકારે કહે છે. અને ભાવ-પદાર્થોના તે તે પયયને પ્રવર્તક મુખ્ય કાળ તે લેકવ્યાપી જાણ. (ટીકા ઉપરથી) + પૂર્વોક્ત ચારે રાશિવાળા (૧છુટા છુટા અનંત પરમાણુંઓ, (૨-૩-૪ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુ નિષ્પન્ન ) અનંતા પુદગલો તેમજ અનંતા છવો સંપૂર્ણ કાકાશમાં સમજવા. લોકાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં એક જીવ રહે છે, એ રીતે બે, ત્રણ, ચાર (અસંખ્યાતમા ) ભાગમાં યાવત્ સર્વ લેકને વ્યાપી રહે છે, કેમકે કેવળી સમુદઘાતના ચેથી સમયે સમસ્ત કાકાશને વ્યાપી રહે છે. (ટીકા ઉપરથી) ૧ અખંડ વસ્તુ-ધર્માસ્તિકાયાદિક. ૨ કલ્પનાવડે કપેલા તેના બે ચાર વિભાગ તે દેશ. ૩ જેને બીજે વિભાગ કલ્પિ શકાય નહિ એવો પરમ સૂક્ષ્મ અવિભક્ત વિભાગ તે પ્રદેશ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87