Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५
આ સૂત્ર નેતાં પહેલીજ નજરે મહારાજશ્રીને સંસ્કૃત, અર્ધમાગધી, હિન્દી તથા ગુજરાતી ભાષા ઉપરના અસાધારણ કાબુ જણાઇ આવે છે. એક પણ ભાષા મહારાજશ્રીથી અજાણી નથી. આપણે જાણીએ છીએ કે એ સૂત્રેા ઉચ્ચ અને પ્રથમ કેટિના છે. તેની વસ્તુ ગંભીર, વ્યાપક અને જીવનને તલસ્પશી છે. આટલા ગહન અને સગ્રાહ્યસૂત્રનું ભાષાંતર ૫ ઘાસીલાલજી મહારાજ જેવા ઉચ્ચ કૅટિના મુનિરાજને હાથે થાય છે તે આપણા અહેાભાગ્ય છે. યંત્રવાદ અને ભૌતિકવાદના આ જમાનામાં જ્યારે ધર્મભાવના આસરતી જાય છે એવે વખતે આવા તત્ત્વજ્ઞાન આધ્યાત્મિકતાથી ભરેલાં સૂત્રાનું સરળ ભાષામાં ભાષાંતર દરેક જીજ્ઞાસુ, મુમુક્ષુ અને સાધકને મા દર્શીક થઈ પડે તેમ છે. જૈન અને જૈનેત્તર, વિદ્વાન અને સાધારણુ માણસ, સાધુ અને શ્રાવક દરેકને સમજણ પડે તેવી સ્પષ્ટ, સરળ અને શુદ્ધ ભાષામાં સુત્ર લખવામાં આવ્યા છે. મહારાજશ્રીને જ્યારે જોઈએ ત્યારે તેમના આ કાર્ટીમાં સંકળાયેલા જોઇએ છીએ. એ ઉપરથી મુનિશ્રીના પરિશ્રમ અને ધગશની કલ્પના કરી શકાય તેમ છે. તેમનું જીવન સૂત્રામાં વણાઇ ગયું છે.
મુનિશ્રીના આ અસાધારણ કાર્યમાં પેાતાના શિષ્યને તથા પડિતાના સહકાર મળ્યા છે. મને આશા છે કે જો દરેક મુમુક્ષુ આ પુસ્તકને પોતાના ઘરમાં વસાવશે અને પેાતાના જીવનને સાચા સુખને માર્ગે વાળશે તેા મહારાજશ્રીએ ઉઠાવેલે શ્રમ સપૂર્ણ પણે સફળ થશે.
*
પ્રો. રસિલાલ કસ્તુરચંદ ગાંધી
એમ. એ. એલ. એલ. મી.
ધર્મેન્દ્રસિંહજી કાલેજ રાજકાટ ( સોરાષ્ટ્રે )
મુંબઈ અને ઘાટકોપરમાં મળેલી સભાએ ભિનાસર કોન્ફરન્સ તથા સાધુ સંમેલનમાં માલાવેલ ઠરાવ.
હાલ જે વખતે શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સધ માટે આગમ-સશા ધન અને સ્વતંત્ર ટીકાવાળા શાસ્ત્રોદ્ધારની અતિ આવશ્યકતા છે અને જે મહાનુભાવાએ આ વાત દીર્ઘ દ્રષ્ટિથી પહેલી પેાતાના મગજમાં લઇ તે પાર પાડવા મહેનત લઈ રહ્યા છે તેવા મુનિ મહારાજ પડિતરત્ન શ્રી ઘાસીલાલજી મહારાજ કે જેએને સાદડી અધિવેશનમાં સર્વાનુમતે સાહિત્ય મત્રી નીમ્યા છે. તેઓશ્રીની દેખરેખ નીચે અ, ભા. વે, સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ જે એક મેટી વગવાળી કિંમટી છે તેની મારફતે કામ થઇ રહ્યું છે જેને પ્રધાનાચાર્ય શ્રી તથા પ્રચાર મંત્રીશ્રી