Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંતપ્રાર્થના ૩૭ ભક્તિ હારી ભૂલી જઈ અરર હું, હારી ગયે જિન્દગી વાણી આગમની સુણે નહિ કદી, જે છે સુધા વાનગી યાત્રાઓ તથે જઈ પગ વડે, કીધી નહિ આ ભવે છે તપથી દેહ દો નહિ પરભવે, મારૂં થશે શું હવે! ૧૬ સંસાર ઘોર અપાર છે, તેમાં બુડેલા ભવ્યને હે તારનારા નાથ! શું ભૂલી ગયા નિજ ભક્તને છે મારે શરણ છે આપનું નવી ચાહતે હું અન્યને તે પણ પ્રભુ ! મને તારવામાં ઢીલ કરો શા કારણે ૧ળા સ્વાર્થભર્યા સંસારમાં કાંઈ સાર દેખાતો નથી ! હારા શરણ વિના હવે, ઉદ્ધાર સમજાતું નથી ! હું અજ્ઞાની આત્મા ભટકી રહ્યો અંધકારમાં ! જ્ઞાન-જ્યોત પ્રગટાવવા, આવ્યો તુજ દરબારમાં ૧૮ પ્રભુ! આજ તારા બિંબને, જોતાં નયન સફળ થયા છે પાપો બધાં દૂર ગયાં તિમ, ભાવ નિર્મળ નીપજ્યા છે સંસારરૂપ સમુદ્ર ભાસે, ચુલ્લ સરિખે નિશ્ચયે ! આનંદ રંગ તરંગ ઉછળે, પદ-કમળના આશ્રયે ૧લા જન્મ અમારો સફળ થયે જિનવર તુજ મૂર્તિ દીઠી ! થઈ જિન્દગી સફળ અમારી, વાણી તુજ લાગી મીઠી છે હૈયું અમારૂં સફળ થયું છે, પ્રભુ–ધ્યાનની લય લાગી દર્શન-જ્ઞાન ને ચરણ મળ્યાથી, ભવ-ભ્રમણોની ભીતિ ભાગીર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58