________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના ૧૩. શ્રી વિમલજિન સ્તુતિ.
(મંદાક્રાન્તા છંદ) જેવી રીતે વિમલ જળથી વસ્ત્રને મેલ જાય, તેવી રીતે જિનનાં ધ્યાનથી નષ્ટ થાય; પાપો જુનાં બહુ ભવતણ, અજ્ઞતાથી કરેલા, તે માટે જિન! તુજ પદે પંડિતે છે નમેલા.
૧૪. શ્રી અનંતજિન સ્તુતિ. જેઓ મુક્તિ નગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલ પણે જેહને સાધુ સંત; જેહની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત, નિત્યે મ્હારા હૃદયકમલે આજે શ્રી અનંત.
૧૫. શ્રી ધર્મજિન સ્તુતિ. સંસાર–નિધિ જળ વિષે બૂડતો હું જિનેંદ્ર, તારે સારે સુખકર ભલે ધર્મ પામ્ય મુનીંદ્ર; લાખો યત્ન કદિ ન કરે તોય ના તેહ છડું, નિત્યે ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું.
૧૬. શ્રી શાન્તિજિન સ્તુતિ. જાણ્યા જાયે શિશુ સકળના લક્ષણ પારણાથી, શાન્તિ કીધી પણ તમે માતના ગર્ભમાંથી; જ ખંડે ને નવ નિધિ તથા ચૌદ રત્ન તજીને, પામે છે જે પરમ પદને આપજે તે અમને,
For Private And Personal Use Only